________________ સુખભવની ટોચે 199 ઊંડાણમાં ડૂબી ગયા પછી, બહાર સપાટીએ પાછા આવતાં વાર લાગે છે. વિનપ્લેઈન પણ મૂઢતાના એવા ઊંડાણમાં જ ડૂબી ગયે હતો. અજ્ઞાત - અયમાં તમે એકદમ પગ ન જમાવી શકે. વિચારો પણ લશ્કરોની પેઠે એક વખત વીખરાઈ જાય, ત્યાર બાદ તેમને પાછા એકત્રિત કરતાં મુશ્કેલી પડે છે. તમારી આખી જાત જ તમને વિખેરાઈ ગયેલી - વિખેરાઈ જતી લાગતી હોય તો શું થાય ? તમારી જાતને તમે ફંગોળાતી જોઈ શકે ? ઈશ્વર એ હાથ છે, ભાગ્ય એ ગોફણ છે, અને માણસ એ ગોફણથી વીંઝાઈને ફંગોળાતો પથરો છે. વુિનલેઈન એક આશ્ચર્યમાંથી બીજા આશ્ચર્યમાં ફંગોળાતો જતો હતોઃ ડચેસને પ્રેમપત્ર, પછી સાઉથવક જેલનું ભોંયરું, અને ત્યાર બાદ આ રાજમહેલ ! - નસીબમાં જ્યારે પલટો આવે છે - સુખને કે દુઃખને, ત્યારે તેના ઘા ઉપરાઉપરી જ પડવા માંડે છે. એ છિદ્ર ખુલ્લું થયું કે, તેમાંથી એક પછી એક નવી નવાઈઓ ધસી આવવા માંડે છે. જે કાંઈ અસાધારણ હોય, એ ઝટ સમજમાં આવતું નથી. ગ્વિનપ્લેઈનની આસપાસ જે કંઈ બની રહ્યું હતું, તે પણ તેની સમજ બહારનું હતું. હવે આગળ શું નવું આવે છે, એટલું જ જાણે નિષ્ક્રિયપણે જોવાનું તેના હાથમાં હતું. પેલા ફાંદવાળા માણસે આગળ કહેવા માંડયું : " આપ નામદાર એટલું યાદ રાખવા મહેરબાની કરશે કે, હું બાકેિલફે નામે ઓળખાઉં છું. હું એડમિરલ-કચેરીમાં જેમ-અફસર છું. મેં હર્દકેનની તુંબડી બેલી હતી, અને એ તુંબડીમાંથી “અરેબિયન