________________ સુખભવની ટોચે સિયાના વિન્ડસરમાં સીધી રાણના મહેલે પહોંચી, ત્યારે રાણીના હજારિયાએ તેને કહ્યું કે, રાણીજી લો ચાન્સેલર સાથે અગત્યની મંત્રણાઓ કરી રહ્યાં હોઈ, આપને બીજે દિવસે જ મળશે. રાણીજીએ ઈર૭યું છે કે, આપે આપના કોલિયાં લેજમાં રહેવું, - જ્યાં બીજે દિવસે સવારમાં જ રાણીજી આપને સંદેશે કહાવશે. જૈસિયાના ખૂબ ચિડાઈને પિતાના કેલિયો લોજ મહેલે ગઈ. ત્યાં બગડેલે મિજાજે જ વાળ પતાવી, દિવસનું અજવાળું હતું હતું ને જ, સૌ હજારિયાઓને વિદાય કરી - હાંકી કાઢી, તે સૂઈ ગઈ. તેને વધુ એટલા ખબર મળ્યા કે, લેડ ડેવિડને પણ દરિયા ઉપર જ સંદેશ પહોંચાડી, રાણીજીએ તાબડતોબ વિન્ડસર આવી પહોંચવા ફરમાવ્યું હઈ તે પણ બીજે દિવસે વિન્ડસર આવવાના હતા. સુખભવની ટોચે જ્યારે વિનપ્લેઈન હેશમાં આવ્યું, ત્યારે રાત પડી ગઈ હતી. તેણે આસપાસ નજર કરીને જોયું તો બદામી મલમલના પડદાવાળા સુંદર મટે કમર હતો; અને તેમાં વચ્ચે મોટી આરામ ખુરશી ઉપર પિતે બેઠેલો હતો. તેની નજીક ખુલ્લે માથે એક જડે માણસ મુસાફરીને ઝબ્બે ઓઢીને ઊભો હતો. બંને હાથ તરફ નજીક જ બે ટેબલ માંડેલાં હતાં, જેમાંના દરેક ઉપર છ છ મીણબત્તીના ઝાડ જેપી દીપદાનીઓ ગોઠવેલી હતી. એક ટેબલ ઉપર કાગળે અને કાશ્કેટ પડેલાં હતાં, ત્યારે બીજા ઉપર ચાંદીનાં પાત્રામાં હળવાં ખાનપાનની ચીજો પડેલી હતી.