________________ 192 લાફિંગ મેન કર્યો હતો. તેઓશ્રીએ એ કાગળમાં જણાવેલી હકીકતો અનુસાર કારવાઈ શરૂ કરવાનો હુકમ આપ્યું. તે પ્રમાણે આ હર્દકેનેને ચેધામના કેદખાનામાંથી અહીં તેડાવી મંગાવવામાં આવ્યો, અને તેની આગળ આપને વિધિસર એાળખવિધિ અને કબૂલાતવિધિ પૂરે થતાં, આપ હવે કાયદેસર ઈંગ્લેંડના એક ઉમરાવ બને છે. આપને વર્ષે દસ લાખની આવક છે; આપને ધારાસભ્ય અને ન્યાયાધીશ તરીકેના અધિકાર આપોઆપ મળી જાય છે. રાજાની પુત્રી હોય એવાં ડચેસને પરણવાને અધિકાર પણ આપને પ્રાપ્ત થાય છે.” વિનપ્લેઈનના માથા ઉપર વજપાત થયો હોય તેમ તે એકદમ બેહોશ થઈ ગયે. રાણું ઍનની ખેલદિલી એક સૈનિકને દરિયાકિનારે ફરતાં મળી આવેલી તુંબડીને કારણે આ આખું પ્રકરણ સરજાયું હતું. ઍડમિરલની ઓફિસમાં વિધિસર જેમ અફસરને એ તુંબડી સુપરત કરવામાં આવી. બાકિંલફેડ્રોએ રાણીજીને એ માહિતી આપી એટલે તરત બે મોટા સલાહકાર, લંડ ચાન્સેલર તથા ગ્રાન્ડ માર્શલને આ અંગે પૂછવામાં આવ્યું. આ તે એક ઉમરાવને તેનું પદ પાછું સોંપવાનું કામ હોઈ, તરત તેની તપાસ ચીવટથી શરૂ કરવામાં આવી. ચેધામમાંથી હર્દકેને લંડન લાવવામાં આવ્યો. ઉપરાંત સ્વિટ્ઝલેન્ડમાં આ વિગતોની સચ્ચાઈ બાબત તપાસ કરાવવામાં આવી. સ્થાનિક રજિસ્ટરોમાંથી લૉર્ડ લિનિયસે દેશ