________________ વિનપ્લેઈન ગયે ગુનેગાર ગણાય, કારણ કે જે શું સ્વીકારતા નથી, તે વધું ન કબૂલે છે. શેરીફે હવે આગળ ચલાવ્યું: “ચૂપ રહીને પિતાની જાતને અદાલતના કામકાજમાંથી ગેરહાજર રાખવાની મનાઈ છે. આવી ખોટી રીતે કરલે અદાલતને અનાદર ન્યાયનું ખૂન કરવા બરાબર છે. એ બંડ કહેવાય, દ્રોહ કહેવાય. તપાસમાં જે સહકાર આપતો નથી, તે સત્યને ખંડિત કરે છે. એ ગુના માટે કાયદામાં જોગવાઈ કરી રાખી છે.” કાયદાના ડૉકટરે પાછી એ કલમ અને તેમાં જણાવેલી સજા બોલી બતાવ્યાં. શેરીફે આગળ ચલાવ્યું: “તારા જક્કીપણાની સામે કાયદાએ પણ એવું જ જક્કીપણું આદર્યું છે. પહેલે દિવસે તને ખાવા પીવાનું આપવામાં ન આવ્યું. બીજે દિવસે તેને થોડુંક ખાવાનું આપવામાં આવ્યું, પણ પીવાનું કશું ન આપવામાં આવ્યું. જવની રોટીના ત્રણ કળિયા તને ભરાવવામાં આવ્યા હતા. ત્રીજે દિવસે તને કંઈક પીવાનું આપવામાં આવ્યું, પણ ખાવાનું કશું ન આપવામાં આવ્યું જેલખાનાની ગટરમાંથી લીધેલું એક પિન્ટ પાણુ ત્રણ પ્યાલાઓમાંથી ત્રણ જુદે જુદે વખતે તારા મોંમાં રેડવામાં આવ્યું હતું. હજુ પણ તું ચૂપ રહીશ, તો તને આ સ્થિતિમાં મરતા સુધી રાખી મૂકવામાં આવશે. એ સ્થિતિમાં કોઈ તને કશી મદદ નહિ કરે. થોડા વખતમાં તારા ગળામાંથી, તારી દાઢી અને બગલમાંથી તથા શરીરનાં બધાં છિદ્રોમાંથી, મેંમાંથી તેમ જ કૂલા વચ્ચેથી લેહી નીકળવા માંડશે. પણ જો તું હજુ પણ તારી ચુપકીદી તોડીશ. અને કબૂલાત કરીશ, તો તને થડા નાના સિક્કા આપવામાં આવશે, (જે ચલણમાં નથી, પણ આ અંતિમ દાન માટે જ વપરાય છે) અને પછી તને ફાંસીએ ચડાવવામાં આવશે. ગુનો કબૂલ કરી દેવાના એ ફાયદા છે.”