________________ ગ્વિાઈન ગયો ઉસસે જોયું કે, ગ્નિનપ્લેઈન એ ગુફામાં અદશ્ય થયો. એ સાઉથવર્ષની જેલનું નાનું બારણું હતું. જૂના વખતમાં એ મકાન અંગ્રેજોના પ્રાચીન દેવનું મંદિર હતું; પછી એ મહેલ અને કિલ્લાનું પદ પામ્યું, અને છેવટે ૧૧૯૯માં જેલખાનાને દરજજો ! ઈંગ્લેંડનાં બધાં કેદખાનાં બહાર તેતિંગ દીવાલે અને અંદર મધપૂડાનાં પાનાં જેવી અંધારી કોટડીઓ - એ જાતનાં જ હોય છે. આ જગલી અને નિષ્ઠુર મકાનો પાસે થઈને જતાં માણસના અંતરમાં એવી જ ધૃણા અને ત્રાસની લાગણું થઈ આવે, જેવી સાંકળે બાંધેલા ગુલામના વસવાટરૂપ ટાપુઓ પાસે થઈને જતાં પ્રાચીન વહાણવટીઓને થતી. સાઉથવર્ક જેલ તો પહેલેથી ભૂતપિશાચના આવેશ દૂર કરવાના તથા રિબાવીને કબૂલાત કરાવવાના સ્થાન તરીકે જાણીતી હતી. એ જેલ બે શેરીઓમાં ઊઘડતી. એક બારણું મુખ્ય શેરી તરફ હતું, જ્યાં થઈને સત્તાવાળાઓ પ્રવેશ કરતા. બીજું બારણું બાકીનાં જીવતાં પ્રાણીઓને પેસવા માટે અને મડદાંને બહાર નીકળવા માટે હતું. માણસ જ્યારે જેલમાં મરી જાય, ત્યારે એ બારણેથી તેનું મડદું બહાર કઢાતું. જાણે નરકમાંથી મુક્તિનું દ્વાર ! શ્વિનપ્લેઈનને તે બારણેથી જેલમાં અંદર લેવામાં આવ્યા હતા. સાઉથવર્ક સરે પરગણામાં હેઈ, તેની જેલ પણ તેના શરીફની હકૂમત હેઠળ હતી. શેરીફની બે અદાલત હતી : એક કેન્દ્રસ્થ સ્થિર, અને બીજી ‘જંગમ'. શેરીફને કેદખાનાની “સફાઈ કરવાની સત્તા હતી; અર્થાત પરગણુના કોઈ શહેરમાં તે આવે ત્યારે તે બધા ત્યાંના કેદીઓને “છુટકારો’ કરવાને હક ધરાવતા : કાં તો તેમને છોડી મૂકીને અથવા તેમને ફાંસીએ ચડાવી દઈને. શેરીફ 24 ગ્રાંડ-જૂરરે આગળ આરોપનામું રજૂ કરે. પેલા કાં તો તેને મંજૂર રાખે, અથવા નામંજૂર રાખે. નામંજૂર રાખે, તે પેલું આરોપનામું 12