________________ સર્વસુલભ બનાવી છે. તેથી હવાની જેમ પ્રેમ પણ કુદરતે સર્વસુલભ રાખે છે. આથી જ તે ધનસંપત્તિ અને વૈભવવિલાસમાં આળોટતાં શ્રીમંત કેનાં કરતાં ઘણું વાર ગરીબી અને કંગાલિયતમાં સબડતાં દેખાતાં લેકે પણ આ બાબતમાં વધારે સુખી હોય છે. અને એ પ્રેમસુખને બળે જ આટલી મુસીબત વચ્ચે પણ જીવનને વિકટ રથ ખેંચી શકતાં હોય છે. આ વાર્તાને નાયક સમાજના સાવ નીચલા અને ઉપેક્ષિત સ્તરમાંથી એક વાર અચાનક ઈગ્લેંડના ઉમરાવ પદે પહોંચે છે. ઘડી બે ઘડી એને વિશાળ સત્તા, અઢળક સંપત્તિ અને રૂપયૌવનના સ્વર્ગનું ભારે આકર્ષણ પણ થાય છે. પરંતુ ઘેડી વારમાં જ એ સ્વર્ગ તેને નરક જેવું લાગવા માંડે છે ને એની પોતાની અસલ દુનિયા –લડગાડી, રીંછ, મદારી અને અંધ છોકરીવાળી દુનિયા,-એને સ્વર્ગ સમાન લાગે છે. લક્કડગાડીની મેલી અંધારી ઓરડી, ગોદડીના ગાભા કે રાબનાં હાંડલવાળી એ દુનિયામાં પરસ્પર સમપણની જે સંજીવની હતી, પ્રેમને પારસમણિ હતો, તેને તો પેલી ઊજળી ગણાતી ઉમરાવોની દુનિયામાં એને આભાસ પણ મળે તેમ નહોતો. હ્યુગો જેવો કવિ-લેખક પોતાની કૃતિઓમાં ગરીબોની દુનિયાની આ અમૂલ્ય સંપત્તિને હંમેશાં બિરદાવતો રહ્યો છે; એને સર્વોપરિ મહત્ત્વ આપતો રહ્યો છે, તે સહજ જ છે. એ સમજે છે કે, ખુલ્લું આકાશ, સૂર્યને પ્રકાશ, વહેતું પાણી, નિબધ હવા અને વૃક્ષની છાયાની જેમ મનુષ્ય-હૃદયને પ્રેમ પણ કુદરતની દેન હોવાને કારણે, ઈશ્વરની પ્રસાદી હોવાને લઈને, સાધારણું જનસમાજને પણ એ નિરંતરાય મળી શકે છે, અને એમાં ગમે તેવી મુસીબત અને સંકટોને પાર કરવાની ને નવા ઘાટ ઘડવાની શક્તિ પડેલી છે. કુટુમ્બજીવનની મર્યાદાઓ સુધી તે માણસને આને અનુભવ થયો છે; કોઈ કોઈ વાર એથી સહેજ આગળને અનુભવ પણ એણે કરી જોયો છે. પરંતુ વિશિષ્ટ સમાજના તમામ વિકટ કેયડાઓને પાર કરીને દુનિયાને નવો ઘાટ ઘડવા માટે પણ એમાં જે અપાર