________________ 18 મૂકવામાં આવે છે. જે વ્યવસ્થામાં મનુષ્યમાં ઉતમ ગુણે પ્રગટે અને વિકસતા રહે એવી વ્યવસ્થાને આજે માનવી ઝંખી રહ્યો છે. એને ખ્યાલ આવવા માંડ્યા છે કે, આવા પ્રકારની જ કેઈ સમાજ-વ્યવસ્થા આજના યુગની સમસ્યાઓને - ગરીબાઈથી માંડીને યુદ્ધ સુધીની તમામ સમસ્યાઓને - ઉકેલ કરી શકશે અને તેથી જ જાતિ, કુળ, વર્ણ, ધર્મ કે રાષ્ટ્રના ભેદભાવથી પર રહીને માનવી માનવી વચ્ચેની એકતા તેમ જ સમાનતાને પાયામાં રાખનાર સમાજવાદ જેવી સામાજિક વ્યવસ્થાઓ લોકપ્રિય થતી રહી છે. સાધારણ માણસને, મનુષ્ય તરીકે પણ ઊંચે ચડવા માટે અનુકૂળ સમાજવ્યવસ્થા અનિવાર્ય છે, એ વાત વિશેષ ને વિશેષ સ્પષ્ટ થતી જાય છે. * પ્રસ્તુત વાર્તા ઉપરથી એક બીજી વાત પણ સમજવા નોંધવા જેવી છે. મહેલ, રાજભવને, હવેલીઓ, બાગબગીચા, વસ્ત્રાલંકાર કે સારાં સારાં ખાનખાન - એ બધું સુખ આપનારું મનાયું છે. અલબત્ત, શરીરને માટે યોગ્ય ખાનપાન, વસ્ત્ર અને નિવાસ વગેરે સાધન-સામગ્રીની સૌને જરૂર પડે છે. તેનાથી માણસનાં સુખસગવડ પણ સચવાય છે એની ના નથી. પરંતુ સુખ આપવાની બાબતમાં આ બધી વસ્તુઓને મર્યાદા છે. ખાનપાન, વસ્ત્રાલ કાર કે આરામભવનેમાંથી ગમે તેટલું સુખ મળતું હોય, તોયે સુખને એ મૂળ આધાર નથી. જીવનમાં સુખને ખરો આધાર તે મનુષ્યહૃદયને પ્રેમ છે. જેને એ મળે છે તેના જેવું સુખી કોઈ નથી. આવું સુખ તે ઈશ્વરકૃપાથી સાધનહીન એવા અનેક ગરીબોના ભાગ્યમાં પણ હોય છે અને ક્યારેક કઈ અતિશ્રીમંતને પણ આવાં સુખથી વંચિત રહેવું પડે છે. કુદરતને તે એ નિયમ જ છે ને કે જેના વિના જીવન અશક્ય હોય એવી અમૂલ્ય ચીજ એણે