________________ સામર્થ્ય પડેલું છે, તેને અનુભવ કરવાને આરે આજનું જગત આવી ઊભું છે. એક નવી જ દાનયા આકાર પામવાને મથી રહી છે. સાધારણ માણસ પિતાનામાં રહેલી આ શક્તિને કેટલે અંશે ઓળખ શકશે, કેળવી શકશે ને વ્યાપક કરી શકશે, તેના પર નવી રચનાને આધાર છે. તત્વચિંતકો અને વિચારકે આપણને સમજાવી રહ્યા છે કે, આવતી કાલની આ દુનિયાની વિભૂતિ નથી કેઈ સમ્રાટ, નથી કે સેનાપતિ કે નથી કોઈ ધનિક. સાધારણ મનુષ્ય એ જ આ નવી રચનાનું અધિષ્ઠાન બનવાનું છે. એથી આજના યુગનું સૌથી મોટું કામ દુનિયાના સાધારણ માણસમાં શક્તિ પ્રગટાવવાનું, એનામાં અભિક્રમ જગાડવાનું છે. સમાનતા, બંધુતા અને માનવપ્રેમના પાયા ઉપર ન સમાજ રચાય, તે માટે એ તૈયાર થાય, એવી શક્તિ તેનામાં પૂરવાની છે. એમ કરવામાં અને જ્યાં જ્યાંથી સમર્થન મળે તેમ હોય તેવી કૃતિઓ ખૂબ ખૂબ વંચાય એ જરૂરી છે. તેથી વિશ્વસાહિત્યની આવી કૃતિઓ પિતાપિતાની ભાષામાં ઊતરતી રહે એવા પ્રયાસ હંમેશાં આવકારને પાત્ર છે. પ્રસ્તુત કથાકૃતિને આ રીતે ગુજરાતીમાં ઉતારવા માટે ભાઈશ્રી. ગોપાળદાસ પટેલને તેમ જ પ્રકાશન સંસ્થાને ગુજરાતી સમાજના ધન્યવાદ ઘટે છે. તા. 6-2-66 વજુભાઈ શાહ