________________ એક જણના બે શત્રુ, આપસમાં મિત્ર 153 સત્તાવાળાઓને ધા નાખવામાં પાદરીઓ પણ ભળ્યા; કારણ કે, લેકે પાદરીઓના ભાષણમાં જતા પણ ઓછી થઈ ગયા હતા? લેકેને ઉર્સસનાં મર્માળાં વાક્યો વધુ ગમતાં. પરિણામે સાઉથવર્કનાં પાંચ દેવળે ખાલી જ રહેતાં. પાંચે દેવળના પાદરીઓએ લંડનના બિશપને ફરિયાદ કરી, અને બિશપે નામદાર રાણીને ફરિયાદ કરી. - પેલા ખેલ મંડળીવાળાઓએ પિતાની ફરિયાદમાં ધર્મને વચ્ચે આણ્યો હતો. તેઓનું કહેવું હતું કે, વિનપ્લેઈન જાદુમંતર કે મેલી વિદ્યાને જાણકાર છે, અને ઉર્સસ નાસ્તિક કાફર છે. આમ ખેલ-મંડળીવાળાઓએ ધર્મને નામે ફરિયાદ કરી, ત્યારે પાદરીઓએ પોલીસ-કાયદાઓને નામે ! કયા પોલીસ-કાયદાનો ભંગ થતો હતો, વારુ ? આ મંડળીમાં વરુ હતું એ ! ઇંગ્લેંડમાં વરુને વરતી બહાર કરવામાં આવ્યું છે. બુલડોગ ? ભલે રાખો. પણ વરુ ? હરગિજ નહિ. ભસી શકતું કૂતરું ચાલે; પણ ઘૂઘવતું કૂતરું ન ચાલે. “ગ્રિનપ્લેઈનને કેદમાં પૂરે અને વરુને ડબ્બામાં. નહિ તે પગપાળાઓની, વટેમાર્ગુઓની શી સલામતી ? ઉર્સસને વીશીવાળા મારફત આ બધી અરજીઓ થયાની ભાળ મળી અને તે ચિંતામાં પડી ગયા. લંડનમાં આવવાનું વિચાર કરવા બદલ તેને પસ્તાવો થવા લાગ્યો. પરંતુ સાઉથવર્ક પરું જ્યાં સુધી “ગ્રીન-કસની તરફેણમાં હતું, ત્યાં સુધી આખું ઇંગ્લેંડ– લંડન, નામદાર રાણ, ઉમરાવની સભા, આમની સભા, બિશપ અને ખેલ-મંડળીઓ તેની સામે હોય તેથી શું થઈ ગયું ? સ્થાનિક સત્તાવાળા આ બાબતમાં ઉપેક્ષાવૃત્તિ જ દાખવતા હતા. અને ઈંગ્લેંડમાં ઉપેક્ષાભાવ એટલે સંરક્ષણ જ ગણી લેવું. જ્યાં લગી સરે-પરગણુને શેરીફ ન હાલે -