________________ તેનું એ સ્મરણ કરાવે છે. ધન અને સત્તા અમુક જગાએ કેન્દ્રિત . થાય, અને માનવી સંસ્કારનું પિત પાતળું પડી જાય, તે પછી નિરંકુશ છારી જીવનમાંથી આખા સમાજ માટે કેવા અનર્થો ઊભા થાય, તેને આપણી રજવાડી પ્રજાને તાજો જ અનુભવ છે. પરંતુ હૃગોની આ વાર્તામાં ઈંગ્લેડના એ વખતના સમાજનું જે ચિત્ર અંકિત કરવામાં આવ્યું છે, તેના કરતાં વધુ યથાર્થ છતાં વધુ સચોટ ચિત્ર આલેખાયેલું બીજે ભાગ્યે જ જોવા મળી શકે. સત્તામદમાં ચકચૂર અને ધનવૈભવમાં આળોટતા રહેતા એ ઉપલા વર્ગની અંદર કેવી જડતા, દયાહીનતા, ફરતા આવી જતી હોય છે અને એમનાં જીવન આખરે કેવાં અધમ અને પામર બની જતાં હોય છે, તેને ખરો ખ્યાલ આમાંથી મળે છે. આજના અંગ્રેજ સમાજને વિષે. એનાં શિક્ષણ, સંસકાર, સાહિત્ય, લેકતંત્રાત્મક રાજ્યવ્યવસ્થા તેમ જ માનવ આદર્શોને કારણે, દુનિયાભરમાં જે આદરદષ્ટિ ફેલાયેલી છે, તે જોતાં હજુ 200 વરસ પહેલાં જ એ દેશની અંદર, આપણે ત્યાં ખરાબમાં ખરાબ કાળે પણ કદી નહોતી એવી ભયંકર સામાજિક સ્થિતિ પ્રવર્તતી હતી એની કલ્પના પણ કાને આવી શકે ? દોરાધાગા, મંતરજંતર, ઊંટવૈદું, મેલી વિદ્યા, વહેમ, અજ્ઞાન, મિથ્યા કુલાભિમાન, દગલબાજી, રાજખટપટ, એક છેડે અતિવિલાસ તે બીજે છેડે દારૂણ ગરીબી, દુરાચાર, જડતા, ક્રુરતા- આમ અતિ વિષમતામાંથી નીપજતાં તમામ દૂષણો, પાપે અને વિકૃતિઓ ઈંગ્લેંડ જેવા દેશમાં પણ કેવાં ફેલાયેલાં હતાં તેને સચોટ ખ્યાલ શિક્ષિત સમાજને પણ આવી વાર્તાઓ વાંચ્યા વિના ભાગ્યે જ આવે. - આમ છતાં એ જ સમાજ આવી વિષમ અને વિકૃત અવસ્થામાંથી પણ આજની વિકસિત અવસ્થાએ પહોંચી શક્ય છે. ત્યાં દૈન્ય અને દારિદ્ય નિર્મૂળ થયાં છે. મનુષ્ય મનુષ્ય