________________ 15 ઈંગ્લેંડના સમાજનું પણ એવું જ આબેદબ દર્શન કરાવે છે. વાંચનારને એ ક્ષણમાં જ વાસ્તવિક સૃષ્ટિમાંથી વાર્તાસૃષ્ટિમાં ખેંચી જઈને એની સાથે તદાકાર કરી દે છે; એટલું જ નહિ પરંતુ, એ વાર્તાસૃષ્ટિ, વાસ્તવિક સૃષ્ટિ કરતાંય વધુ વાસ્તવિક હોય એ અનુભવ કરાવે છે. મહાન કૃતિઓની એ જ ખૂબી હોય છે. માનવજીવનના કેટલાક મૂળગત અને શાશ્વત ઉરધબકાર એમાં ઝિલાવાને કારણે એ કૃતિઓ સર્વ કોઈને હૃદયંગમ બની જાય છે. સ્થળ, કાળ, ભાષા કે વર્ણની મર્યાદાઓ એને બહુ નડતી નથી. એટલે જ તો કાળિદાસ અને શેકસપિયર, શરતચંદ્ર, ડૂમા કે ડિકન્સ અથવા ટોલસ્ટોય, રોમે રોલાં કે રવીન્દ્રનાથ જેવાની કૃતિઓ દુનિયાભરમાં બધે જ અને બધે વખતે એકસરખા રસ અને આનંદથી વંચાય છે. પ્રસ્તુત વાર્તા આવી એક કલાકૃતિ છે. હ્યુગો જેવા કલાકારની વાર્તાકૃતિમાં વાર્તારસ તો છલે છલ હોય એમાં શી નવાઈ ! પરંતુ એની અન્ય નવલકથાઓના હિસાબે પ્રમાણમાં નાના ફલકમાં સમાયેલી આ વાર્તાકથામાં પણ વિચાર-મૌક્તિક, ચિંતન-કણિકાઓ. તત્તવદર્શનનાં તેજકિરણ, ભાવનાના મનહર રંગ વગેરે ભરપૂર ભરેલાં છે, જે વાંચનારના ચિત્તને પ્રકાશ અને પ્રેરણાથી ભરી દે છે. સાથે સાથે હદયને આંચકે આપે એવાં સામાજિક જીવનનાં કઠેર સત્ય વિધાને તેમ જ એટદાર વ્યંગતિએ પણ ઠેરઠેર વેરાયેલ છે, જે વાંચનારને ઊંડો વિચાર કરતાં કરી મૂકે છે. આ પ્રસ્તુત કૃતિમાં મુખ્યત્વે 18 મા સિકાના ઈંગ્લેંડમાં અમીરઉમરાવોના જીવન-પ્રભુત્વના ઓછાયા નીચે સમાજ કેવી રીતે ગોઠવાયેલા હતો તેનું ચિત્ર જોવા મળે છે. સ્વરાજ પહેલાંના સે બસે વરસના કાળમાં આપણે ત્યાં રજવાડી રિયાસતોમાં તેમ જ તાલુકદારી જાગીરદારી પ્રદેશમાં જે અર્ધગુલામી જેવી સ્થિતિ પ્રવર્તતી હતી,