________________ લાફિંગ મૅન આ બધાનું પરિણામ એટલે 4િનપ્લેઈન. કેઈ આવે મોંએ જન્મતું નથી. પણ એટલું ઉમેરવું જોઈએ કે, 4િનપ્લેઈનના ચહેરાનું તિરકામ બહુ સફળ થયું હતું. ભગવાને માણસજાતની ખિન્નતા દૂર કરવા જાણે તેને ચહેરો સ હોય તેમ, તેના માં સામે જોનાર કોઈ પણ માણસ તરત હસી જ પડતો. - અને ખરેખર, જેને શોક ધારણ કરવો હોય - જેમ કે સ્મશાનયાત્રામાં જતાં - તેણે વિનપ્લેઈનના માં તરફ જવાનું ટાળવું જ જોઈએ. એક દિવસ એક જલાદ તેને બેલ જોવા આવ્યો, અને હસી પડ્યા. બીજા બધા સામાન્ય માણસને તો વુિનલેઈન તરફ નજર કરતાં જ પોતાનાં પડખાં દબાવી દેવાં પડે– હસતાં હસતાં પેટ ફાટી ન જાય તે માટે. અને વળી જે તે તમારી સામું જોઈ ને બેલે, તો તો તમારે જમીન ઉપર જ આળોટવું પડે, - હસી હસીને જ એટલે થોડા જ વખતમાં મેળાઓમાં અને ચકલાંઓમાં તેની નામના થઈ ગઈ. પણ તેના મોંની આ કૃત્રિમ આકૃતિ બાદ કરીએ, તે બાકીને આખે શરીરે - બધા અવયવોમાં વિનપ્લેઈન ઘાટીલે, સુડોળ અને સુપુષ્ટ યુવાન હતું. જાણે કોઈ અજન્મ -- ખાનદાન - ઉમરાવજાદે. તેના મોં ઉપર આ બધું કોતરકામ કરવામાં આવ્યું હશે. ત્યારે જરૂર તેને કારમું દુઃખ થયું હશે; પણ એને પિતાને પોતાના શરીર ઉપર આ બધું કદી કરવામાં આવ્યું હતું તે યાદ જ નહોતું. જાણે જાદુમંત્રથી તેની એ બાબતની બધી સ્મૃતિ લુપ્ત કરી દેવામાં આવી હતી. પણ કહેવાનું હજુ બાકી રહ્યું H જેઓએ તેના ચહેરાનું કોતરકામ કર્યું હતું. તેઓએ તેના કેટલાક સ ધા પણ છૂટા કરીને એવી રીતે ફરીથી ગોઠવ્યા હતા. જેથી તેના અવયવો સૌ માણસ કરતાં અવળી રીતે