________________ લાફિંગ મૅન ઉપકારને ગેરલાભ લેવા ન ઈચ્છે ! આવી અમથી માત્ર ઘૂંકવા જેવી કૃપા કરનાર એ તવંગર બેવકૂફને તમારે જીવનભર એશિયાળા રહેવું, અને તેને સુંદર, ઉદાર, ભાગ્યશાળી કહીને વખાણ્યા કરવી–છટ્ર, આપણી માણસાઈની આટલી જ કિંમત ? અરે એ ભૂંડણને એક ભાળિયું જન્મે તે પણ તમારે કવિતાઓ લખી લખીને ઓવારી નાખવાની ! તમારામાં કવિત્વશક્તિ હોય, તે તેમના પગની ધૂળ ચાટત્યા કરવા માટે જ જાણે ન હોય! તેઓ તમારે માટે શબ્દો પણ કેવા વાપરે છે ? “કોણ જાણે કેણ છે ?" હું તેને ઓળખતી પણ નથી.” “શું તે લહિયો છે? લેખક છે ? કોણ જાણે ? હું તે તેને ખવરાવું છું-પિવરાવું છું. આ બધી મરઘડીઓ ભેગી થાય ત્યારે અમો સાક્ષરો માટે આવું જ બોલવાની ! કઈ દહાડો અમારે માટે એક સારો શબ્દ તો નહિ જ વાપરવાની ! કઈ કઈ વાર તેઓ તમારી તરફ નજર નાખવાની કે એકાદ શબ્દ બોલવાની કે તમારી ખબર પૂછવાની કૃપા કરે, ત્યારે તમારા આખા જીવનને પ્રકાશ કે આનંદ તમારા મોં ઉપર લાવી તમારે તેમની સામે કૃતજ્ઞભાવે લળી પડવું જોઈએ ! બદલામાં તમારું નામ તેમને પૂરું યાદ રહ્યું છે એ દેખાવ પણ તેમણે નહિ કરવાને; હંમેશાં તમારા નામની જોડણું કે ઉચ્ચાર તેઓ ખેટાં જ કરવાનાં; અને પછી તમને જ હજારમી વાર તમારું સાચું નામ પૂછશે! જાણે આપણું નામ સીધું યાદ રાખે તો પણ તેમની મોટાઈમાં ઊણપ આવી જાય ! પિતાના ઉપર કરેલા ઉપકારને કારણે વેર લેવા તત્પર થયેલા માણસ જેવો ભયંકર માણસ બીજો કોઈ ન કહેવાય. બાકિંલફે એવો માણસ હતો. સામાન્ય રીતે, કરેલા ઉપકારને ભૂલી જવાનું સ્વરૂપ જ કૃતઘતા ધારણ કરે છે. પરંતુ બાકિલ માટે તે તે એક ભભૂકતી ભઠ્ઠી બની રહી હતી. તેમાં તેને આખી ને આખી