________________ 107 બાકિંલકેડે હતા. પણ તે આશરે કેવો ? તદ્દન તુચ્છ. અને એ આશરે આપવા બદલ તેને શે ઘસરકે પડયો હતો કે પરિશ્રમ પડ્યો હતો ? એના પ્યાલાના મોંઘા સેરવાના એક ચમચી જેટલું પણ નહિ ! ઊલટું તેના જેવા વિદ્વાન માણસને આશરો આપવા બદલ તેના માથાને ઘમંડ જ વધ્યો હતે ! એટલી અમથી કપા દાખવવા બદલ બાલિકે એ તેના તરફ કૃતજ્ઞતાનો ભાવ શા માટે રાખવો જોઈએ ? કોઈ ખૂધિયો પિતાને જન્મ આપનારી મા તરફ શો સારો ભાવ રાખી શકે ? આ બધા તવંગર માણસો - સમૃદ્ધિમાં આળોટતાં માણસો - પોતાની કશી શક્તિથી કે આવડતથી નહિ, માત્ર અમુક જગાએ જન્મવાના અણધાર્યા અકસ્માતથી જ મોટા થઈ બેઠા હોય છે. તેમના ઘમંડને તોડી, તેમને ધૂળ ચાટતા કરવા અને તેમને તેમનું સાચું મૂલ્ય બતાવવું, એ તેમના ઉપર ઉપકાર કરવા જેવું નથી શું ? - કોઈને તમારા ઉપર કૃપા ન કરવા દેશો; તેઓ તેનો ગેરલાભ જ ઉઠાવશે. ભૂખે મરવા પડો, ત્યારે પણ તેમની નજરે ન પડશે; તેઓ તમને ભૂખમરામાંથી બચાવી લઈ દયાભાવ દાખવવા જશે. તેની પાસે રેટી ન હતી એટલે જ આ સ્ત્રીને તેના જેવા માણસને કંઈક ખાવાનું આપવાનું બહાનું મળી ગયું ને ? ભૂખ પેટને જરા વધુ. કરડે તે શું બગડી જવાનું હતું ? પણ તેટલા માટે આ નાલાયક બાઈને તેના ઉપર જાણે જીવનભરને અધિકાર મળી ગયો એ ઓછી પંચાતની વસ્તુ છે ? તમારે હાથ ધરવાનો વખત આવ્યો કે આ ભાગ્યશાળી બેવકૂફે તેમાં એક ફદિયું મૂકી દેવાના જ; અને તમારી લાચારીને લાભ લઈ તમને પિતાના ગુલામ બનાવી દેવાના. અને એ પણ હીન કેટીના ગુલામ, કારણ કે વગર મહેનતે મળેલી વસ્તુ તરફ તમને કદી સભાવ ઊભો ન થાય - તુચ્છકાર જ ઊભો થાય! કોઈએ આપણું જીવન પતે જોખમમાં ઊતરીને બચાવ્યું હોય, તે જુદી વાત છે. તેવો માણસ કદી આપણા ઉપર કરેલા