________________ બાકિંલકે 105 કુદરતની પેઠે જ મન પણ ખાલી જગા રહેવા દેતું નથી. કુદરત ખાલી જગામાં પ્રેમ પણ ભરવા ચાહે; પરંતુ મન ઘણી વાર ઠેષ જ ભરી કાઢે છે. ઠેષ પણ જગા રોકે છે. દેશને ખાતર ઠેષ, એવી વસ્તુ અસ્તિત્વ ધરાવે છે. જેમ કુદરતમાં “કળાને ખાતર કળા” અસ્તિત્વ ધરાવે છે; અને આપણે માનીએ છીએ તે કરતાં વધુ પ્રમાણમાં. દેશને ખાતર જ દંષ, એ વસ્તુ શકય હોવા છતાં છેવટે કોઈની ઉપર તે વળવો જોઈએ- ઢળવો જોઈએ. રીંછ પોતાના પંજા ચાટીને જીવે છે, પણ કાયમ નહિ. અવારનવાર એ પંજો કઈ પ્રાણુ ઉપર વાપરવો જ જોઈએ. તેમ માત્ર 4ષ કર્યા કરે એ વસ્તુ મીઠી તે છે; પણ તે થોડા સમય માટે. પછી તે દેવ ઠાલવવાનું કોઈ પાત્ર મેળવવું જ રહ્યું. આખા વિશ્વ ઉપર ઠેષ ઠાલવવા જાઓ, તો તે જલદી ખૂટી જાય. કેઈ લક્ષય વિના નિશાન તાકવું, એને પણ શો અર્થ ? કેઈનું હૃદય વધવાનું હોય, તે જ નિશાન તાકવાની રમતથી મજા મળે. પહેલા જ દિવસથી બકિલોએ જેસિયાનાને પિતાના દેષનું લક્ષ્ય બનાવી હતી. જૈસિયાનાના હૃદયને વીધી શકાય તેમ ન હતું; કારણકે તેને હૃદય છે કે નહિ અથવા તે કક્યાં છે, એ નક્કી કરી શકાય તેમ ન હતું. પણ તેનામાં ભર્યું હતું. અભિમાન; ઘમંડ ! તે જગ્યાએ જ તે મજબૂત હતી તેમ જ નબળી પણ હતી. બાકિલફેડ્રોને એ વાતની ખબર હતી. માણસના અંતરનું ઊંડાણ અનંત છે. એ ઊંડાણમાંથી જે વસ્તુ ભભૂકે છે, તે પણ અનંત હોય છે. એટલે અંતરના ઊંડાણમાંથી આવતો ઠેષ પણ અનંત હોય છે. સિયાના ઉપર ઘા કરતાં પહેલાં જ બાકિંલફેને પોતાના તે કર ઘાને સ્વાદ પણ આવવા લાગ્યો હતો. તે ઘા ક્યારે કરશે, કેવી