________________ બાલિકે 107 બાલિફે પણ તેથી સાપલિયું બની રહ્યા. જ્યાં જવું હોય હોય ત્યાં તે નીચે નમીને- પેટે ચાલીને જ પસી જતો. કારણ કે, પેટે સરકનારાં પ્રાણીઓ દરેક ઠેકાણે પસી શકે છે. રાજા લૂઈ-ચૌદમાની પથારીમાં માકણ પસી શકે; જેમ તેના રાજકારણમાં અતિ નમ્ર જેસ્યુઈટ. - જે પડદા પાછળ હોય તેના હાથમાં જ બધો દોરીસંચાર રહે છે. જેના હાથમાં રાજાને કાન છે, તેના હાથમાં આખો રાજા છે! તે પોતાના મનમાં જે ધારે તે કરી શકે. રાજનું મન એ તમારો સામાન ભરવાનું કબાટ જ હોય છે. રાજાના કાન હંમેશાં બીજાના હાથમાં જ રહે છે અને તેથી જ તે બાપડાઓ પોતે કરેલાં કન્ય માટે ખરેખર જવાબદાર હોતા નથી. તેઓ તો બીજા કોઈની આજ્ઞાનું જ પાલન કરતા હોય છે. કેની આજ્ઞાનું ? જે મચ્છર તેમના કાનમાં સતત ગણગણાટ કરી રહ્યા હોય છે તેની આજ્ઞાનું ! બહાર સંભળાતો મોટો અવાજ રાજાનો હોય છે, પણ તેના કાનમાં ગણગણાટ કરનારો ખરી રીતે તેના હાથે કૃત્યો કરાવતો હોય છે. જે માણસ રાજાના મુખના અવાજને દોરનાર આ નાના અવાજને ઓળખી શકે, તે જ સાચે ઇતિહાસકાર ગણાય. રાણી એનના કાનમાં પણ આવો ગણગણાટ ભરનારા ઘણા મચ્છરો હતા. બકિંલકેડ઼ા તેમાંના એક હતો. રાણી અન ઉપરાંત તે લેડી જેસિયાના અને લોર્ડ ડેવિડના કાનને પણ કબજો ધરાવતો હતો. રાણી અનને એક વખત બાકિલ ને ચટકે લાગ્યો, પછી તેને બીજે કઈ ખુશામતિયો ગમતો જ નહિ. બાકિંલફેડ્રો રાણું એનની ખુશામત કરતો - બીજાની નિંદા કરીને. રાજવી મૂર્ખ હોય, તો વિદ્વાનની ઠેકડી કરવી એ જ તેની ભારે માં ભારે ખુશામત થાય. - રાણી અને આ સ્વભાવ એક વખત બાકિલકે જાણી ગયે, એટલે તે ચારે બાજુ લેકેની એ શોધવા લાગી ગયો. રાજવીને જે હસાવી શકે, તે બીજા સૌને કંપાવી મૂકે. સૌ કોઈ હવે