________________ 102 લાફિંગ મેન તે પછી બીજાની ઉન્નતિ તોડવા માટે! એ તે પિતાની ઉન્નતિ કરતાંય વધુ આનંદની વસ્તુ થઈ! બીજાને હાનિ પહોંચાડવી, તેના જેવું સુખ શામાં છે? બીજાના સુખની અદેખાઈ, એ પણ એક પ્રકારનું તવંગર પણું છે. ગરીબમાં ગરીબ દેખાતે માણસ પણ એ બાબતમાં ખૂબ માલદાર હોઈ શકે છે. બધી વાત છેવટે તમને સતિષ શાનાથી થાય છે, તે ઉપર આધાર રાખે છે. કોઈનું ભલું કરવું, એની પેઠે જ કેઈનું ભૂંડું કરવું, એ પણ ઓછું આનંદદાયક ન હોઈ શકે. અદેખાઈ જાસૂસી માટે સારું કારણ પૂરું પાડે છે. જો કે, જાસૂસ બીજા માટે જાસૂસી કરે છે - કૂતરાની પેઠે; ત્યારે અદેખો પિતાને માટે શિકાર કરે છે - બિલાડીની પિઠે. મોઢેથી તે હસતો, પેટમાં તે ઘાટ ઘડતો. ધીરજ, મિજાજ ઉપર કાબૂ , સંયમ, મળતાવડાપણું, નમ્રતા, વિનય એ બધા ગુણે બાકૅિલફે ડ્રોમાં હતા. પણ તે ગુણો બકિલફિઝાને અડકીને અવગુણો જ બની રહ્યા હતા. એ બધાને તે દૂરપગ કરવા માગતું હતું : પિતાનું વેર વાળવામાં! રાજદરબારમાં બે સ્થાન મેળવી શકાય ? વાદળમાં અને કાદવમાં. વાદળમાં સ્થાન મેળવનાર સિંહાસન અને રાજદંડને પ્રતાપ જ પામી શકે છે, ત્યારે કાદવમાં સ્થાન મેળવનાર ખાનગી કમર અને રાજતંત્રનાં કે સજાનાં બધાં સાધનોની મદદ મેળવી શકે છે. જેમ કે, રાજા લૂઈ અગિયારમા હેઠળ મહાપ્રતાપી બનવું હોય, તો તેના માર્શલ બને; પણ જે લાગવગદાર બનવું હોય, તો તેના હજામ બને. જે લૂઈ-પંદરમા હેઠળ જાણીતા બનવું હોય, તો તેના પ્રધાન બને; પણ અધષ્ય બનવું હોય, તો તેના હજૂરિયા બને. રાજાની ખરી સત્તા ભોગવવી હોય, તે નાના માણસ બનવું જોઈ એ ખરેખર મજબૂત બનવા માટે “નાચીજ” બની રહો.