________________ બાલિ કે આમ બાર્કિલ ફેના કબજામાં ત્રણ ચાવીઓ હતી જેસિયાના, લોર્ડ ડેવિડ અને રાણી; અને એટલી ચાવીઓથી તો કોઈ પણ વાજિંત્રમાંથી મનમાન્યા સૂર કાઢી શકાય ! માત્ર જરાક આવડત જોઈ એ ! બાલિફે મૂળ ડયૂક ઑફ યૉર્કને જૂનો નોકર હતો. શ્વક ઍફ યૉર્ક જ્યારે રાજા જેસ-ર થયો, ત્યારે બાલિફોએ પિતાના ભણતરને અનુરૂપ પાદરી તરીકે સારું સ્થાન મેળવવા પ્રયત્ન કર્યો. પણ રાજાએ તેને મચક ન આપી. રાજાનું ઘરકારભારું બહારથી કશી ભભકવાળું ન કહેવાય; પણ જાત-પોષણ માટે ઠીક ઠીક અનુકૂળ નીવડે. છતાં બાકિંલફેને નેકરી ઉપરાંત સત્તા પણ જોઈતી હતી. કદાચ તે પણ તેના હાથમાં આવત; પણ તેટલામાં રાજા જેસ-બીજાનું પતન થયું અને રાજા વિલિયમ-૩ પાસે તેનું કંઈ નીપજે તેમ હતું નહિ એટલે બાકિંલફેડે ભૂખે મરતો થઈ ગયો. છતાં તે ધીરજ ખૂએ તે નહાતો. તેનામાં ઊધઈની ખંત હતી; એટલે તેણે નીચેથી પોતાને રસ્તે ઉપરની તરફ ખેતરવા માંડયા : જેમ્સ-બીજાના નામને અને પાછલી યાદદાસ્તોને ઉપગ કરી, તે ડચેસ જેસિયાના સુધી પહોંચી ગયે. જેસિયાનાને આ સાક્ષર ગમી ગયો; કારણ કે તે કંગાળ હાલતમાં હતો અને ભણેલે હતો. તેણે એને લૉર્ડ ડિરી-મોર સાથે ઓળખ કરાવી, તથા પોતાના ઘરમાં નેકરે ભેગો રાખ્યો. તે તેના પ્રત્યે માયાળુતાથી વર્તતી અને કોઈ કોઈ વાર તેની સાથે વાત કરતી. સિયાના તેને તુંકારથી જ બોલાવતી. તે જમાનામાં ખાનદાન બાનુઓમાં સાક્ષરને તુંકારથી બોલાવવાને શિરસ્તો હતો અને સાક્ષરો પણ તે વસ્તુ ખુશીથી મંજુર રાખતા. બાકિલોફેને તો જૈસિયાના પિતાને તુંકારથી બોલાવે એ પોતાની સફળતાની નિશાનીરૂપ લાગ્યું. તેણે એ નિકટતાને લાભ લેવાનું શરૂ કર્યું. જેસિયા નાના ખાનગી કમરાઓ સુધી તેણે જેવાઅવર