________________ 94 લાફિંગ મેન ઇતિહાસકારો કહે છે કે, રાણી એલિઝાબેથ એટલે ભવ્યતા, અને રાણી એન એટલે ભલાઈ. જેથી તેમની મરજી. આપણે તેમના ચિત્રને ભૂંસવું નથી. કારણ કે ઇસેસથી ભગવાયેલી એલિઝાબેથ તેમને મન કુંવારિકા જ છે; અને બેલિંગબુકથી અટવાયેલી રાણી એના પતિવ્રતા છે. પ્રજાઓને કેટલીક વાર પિતે જે કંઈ કરે તેને યશ રાજાને અર્પવાની કુટેવ હોય છે. તેઓ લડે; પણ યશ કોને મળે ? રાજને. તેઓ પૈસા ભરે; પણ વૈભવશાળી કોણ ગણાય ? રાજા. અને લેકે રાજાને તવંગર દેખી મલકાય છે. રાજા ગરીબો પાસેથી ક્રાઉન સિક્કા (6) પેન્સને) લે,અને પા પેન્સ તેમને પાછો આપે, તો તે ઉદાર કહેવાય છે ! રાક્ષસના ખભા ઉપર બેઠેલે વામણો કહે કે, હું રાક્ષસ કરતાં પણ ઊંચો છું. જોકે બલિહારી એ વાતની છે કે, રાક્ષસ તેને પિતાના ખભા ઉપર બેસવા દે છે અને પાછા કેવળ મૂર્ખતાથી તેના ઊંચાપણને વખાણે છે ! પ્રા એ ઘોડો છે; અને રાજા એ ઘોડેસવાર છે. શરૂઆતમાં એ ઘોડો ગધેડા જેવો ભારવાહક હોય છે. પણ અંતે તે સિંહ બની રહે છે, ત્યારે તે ઘડેસવારને જમીન ઉપર પટકે છે : ૧૬૪રનું ઇંગ્લેંડ, અને ૭૮૯નું ફાંસ. કોઈ વાર સિંહ-ઘેડે રાજાને ખાઈ જાય છેઃ ૧૬૪૯નું ઇંગ્લંડ; ૧૭૯૩નું ફાંસ ! આ પણ એ સિંહ-ધેડો ફરી પાછો ગધેડો બની રહે છે, એ પણ હકીકત છે. ઈંગ્લેંડની બાબતમાં તો એ સાચું જ છે. રાષ્ટ્ર અન, હમણાં જ કહ્યું તેમ લોકપ્રિય હતી. તેણે લોકપ્રિય થવા શું કર્યું હતું ? કશું જ નહિ ! ઈંગ્લેંડના રાજા પાસે ઇ વસ્તુની જ અપેક્ષા રાખવામાં આવે છે, અને કશું ન કરવા બદલ તેને વર્ષે ત્રણ કરોડ ફાંક ચાવી ખાવા બક્ષવામાં આવે છે. એલિઝાબેથના વખતમાં ઈંગ્લેંડ પાસે તેર લશ્કરી જહાજ હતાં; જેમ્સ-૧ હેઠળ છત્રીસ, અને ૧૭૦૫માં દોઢસો. ઇંગ્લેન્ડે ઈસ્ટ ઇન્ડિઝ