________________ રાણુ ઍન નાખતી. તેની સમગ્ર રાજનીતિ તરડ પડી ગયેલી જ હતી. નાનાં કારણેથી મોટો ઉલ્કાપાત સર્જવાની તેને ટેવ હતી. મજાક-મશ્કરી તેને ગમતાં, પણ તે બીજાને ચીડવે તેવાં અને ચીડભર્યા હોવાં જોઈ એ! તેને સ્વભાવ ભલો એટલા પૂરતો હતો કે તે કેઈ ને મરણિયો બનવાની હદે પહોંચવા દેતી નહિ; છતાં મૂંઝવણમાં દરેકને નાખતી. તેના રાજ્યમાં બે ન્યાયાધીશોની પરવાનગી વિના કોઈ પણ સભા ભરી શકાય નહિ. બાર માણસે ઉજાણ કરવા અને દારૂ પીવા ભેગા થાય તેપણ તે મહાઅપરાધ ગણાય. બીજી રીતે હળવા ગણાતા રાણું એનના રાજ્યકાળમાં, નૌકાસૈન્યની ભરતી બહુ કઠોરતાથી કરાતી. આયર્લેન્ડ માટે કઠોરમાં કઠોર કાયદા રાણી એનના વખતમાં જ કાઢવામાં આવ્યા હતા. એન ૧૬૬૪માં જન્મી હતીઃ લંડનની મહા-આગથી બે વર્ષ પૂર્વે. જ્યોતિષીઓએ ભાખ્યું હતું કે, અગ્નિની મોટી બહેન હોવાથી તે જરૂર રાણી બનશે. અને તે પ્રમાણે બની જ H જ્યોતિષીઓએ ભાખેલ ભવિષ્યને કારણે તથા 16 ૮૮ની ક્રાતિને કારણે. રાણુ ઍન રાજા વિલિયમની પરંપરાને જ અનુસરતી. કાન્તિથી જન્મેલી એ રાજ્યસત્તા હેઠળ ટાવર ઓફ લંડનનું કેદખાનું - જેમાં ભાષણિયાઓને પૂરવામાં આવતા, અને માંચડો - જેમાં લેખકેને જડી દેવામાં આવતા, એ બે વાનાં વચ્ચે જેટલી સ્વતંત્રતા બાકી રહે, તે બધી ઇંગ્લેંડના લેકને હતી. છતાં રાણુ ઍન અંતરથી કુમળી હતી. માત્ર ગુસ્સાની આગ જ તેને રૂપપલટ કરી નાખતી. ખાંડને પણ ગરમ કરો તો તે ખદબદવા માંડે. બાકી, તે લેકપ્રિય હતી. ઇંગ્લેંડને હંમેશાં સ્ત્રીરાજવીઓ વધુ. પ્રિય છે. શાથી? ફાંસ દેશને તેવા રાજવીઓ નથી ગમતા તેથી. અંગ્રેજ