________________ લાફિંગ મેન ઈંગ્લેંડમાં દરેક જણ માનતું અને કહેતું કે, લોર્ડ લૅચાલનું માથું ખાલી હતું. તેને વિચારવંત શી રીતે કહી શકાય ? - નહિ તે, સહેજે પોતાની મબલખ જાગીરો અને વિશાળ મહેલોને ભોગવટો છોડીને, આવા બિહામણા પહાડો વચ્ચે સાપલિયાની પેઠે ભરાઈ રહેવું, એમાં શી કતાર્થતા છે ભલા ! અને ભવિતવ્યતા કરતાં તમે વધુ ડાહ્યા છો ? સંજોગોથી અમુક ઘટના નિશ્ચિત થઈ ગઈ, એક સરકારને બદલે બીજી સરકાર આવી ગઈ, તથા સફળતાની ચાળણીમાં ખોટામાંથી સાચું ચળાઈ ગયું, –એ બાબતની કશી શંકા જેવું જ ન રહ્યું–તો પછી કોઈ પણ પ્રામાણિક માણસે જીતનારા પક્ષને સ્વીકારી લેવા જેટલું ડહાપણ ન દાખવવું જોઈએ ? પિતાના અને પિતાના કુટુંબના હિત સામું જોઈને નહિ, તો જાહેર હિત સામે જોઈનેય વિજેતાના પક્ષમાં જ પિતાની પિપૂડી ન ફૂંકવી જોઈએ ? અને સૌ કઈ વફાદારીથી સેવા બજાવવા કબૂલ ન થાય, તો રાજ્યનું થાય શું ? બધું થંભીને ઊભું રહે, એમ ? દરેક નાગરિક પિતાનું સ્થાન જાળવી રાખવું, એ તેની ફરજ નથી ? અને તે માટે તેણે પોતાના નાનામોટા રાગનું બલિદાન આપતાં શીખવું ન જોઈએ? જાહેર પદ ખાલી ન જ રહેવાં જોઈએ. જાહેર અધિકારીએ રાજીનામાં આપે, એ તો રાજ્યતંત્રને સ્થગિત કરી દેવા બરાબર થઈ રહે. અને આમ જાતે દેશનિકાલ થવું, એમાં વખાણવા લાયક વળી શું છે? તમારા વર્તનને તમે દષ્ટાંતરૂપ બનાવવા માગે છે ? શું ઘમંડ ! એને પડકાર રૂપે રજૂ કરવા માગે છે ? શી ધૃષ્ટતા ! તમારી જાતને તમે કેવીક અગત્યની વસ્તુ માની લીધી છે? જાણી લો મહેરબાન, કે અમે પણ તમારા જેવા જ માણસો છીએ. અમે આમ રાજ્યતંત્રમાંથી ફારેગ થવામાં માનતા નથી; અમે પણ ઉદંડ બનવા માગીએ, તે તમારા કરતાંય વધુ ખરાબ ચીજો કરી શકીએ છીએ. પરંતુ અમે શાણુ સમજણા માણસની જેમ વર્તવા માગીએ છીએ!