________________ - લોર્ડ કલૅન્યાલ બૅરન લિનિયસ ન્યાલ ક્રોમવેલને સમકાલીન હત; અને જે ગણ્યાગાંઠયા ઉમરાવો પ્રજાતંત્રમાં જોડાયા હતા, તેઓમાંને એક હતો. જ્યાં સુધી પ્રજાતંત્રની બોલબાલા રહી, ત્યાં સુધી તે પ્રજાતંત્રના પક્ષમાં રહે, એ તદ્દન સ્વાભાવિક વાત કહેવાય; પરંતુ ક્રાતિ પતી ગઈ અને પાર્લામેન્ટરી તંત્રનું પતન થયું, તોપણ લોર્ડ કલેન્ચાર્લી એ જ પક્ષને વળગી રહ્યો, એ કેવળ તેનું અડપણું જ ગણાય. એ ઉમરાવ નવી રચાયેલી ઉમરાવોની સભામાં પાછો જોડાવા આવ્યું હતું, તે તેને તરત પાછા સ્વીકારવામાં આવ્યું હોત. કારણ કે રાજાશાહીની પુનઃસ્થાપના વખતે પસ્તાયેલા લેકે ઉપર હંમેશ મહેરબાની દાખવવામાં આવે છે. અને રાજ ચાર્લ્સ-૨ તે ખાસ કરીને પિતાની પાસે આવનારાઓ પ્રત્યે ક્ષમાભાવ દાખવતો. પરંતુ ઇંગ્લેંડના લેકે જ્યારે રાજાને સ્વાગતના પકારોથી બહેરો કરી નાખતા હતા, અને ફરીથી ઈંગ્લેંડને કબજે સ્વીકારવાની મહેરબાની દાખવવા બદલ તેને લળી લળીને વંદન કરતા હતા. ત્યારે લેર્ડ લૅન્ગાલ પાછે રાજ્યને ઉમરાવ બનવાને બદલે બહારવટિયો બની રાજીખુશીથી દેશનિકાલ થઈ ગયો ! આમ ને આમ વરસ વીતી ગયાં; અને મૃત પ્રજાતંત્ર પ્રત્યેની વફાદારીમાં તે ઘરડો થઈ ગયે. તે સ્વિટ્ઝર્લેન્ડ ચાલ્યો ગયો હતો; અને જિનીવા સરોવરને કિનારે એક વિશાળ ખંડેર જેવા મકાનમાં રહેતો હતો. તેની આસપાસ કઠેર આસ પર્વતના અડીખમ ટેકરાઓ સિવાય બીજું કાંઈ ન હતું.