________________
અભિનંદન
[મગનભાઈ દેસાઈ). વિચાર-મણિમાળાને આવકારની જરૂર સંભવે? તેનું આદરપૂર્વક સન્માન જ સહેજે જગતભરમાં થતું આવ્યું છે.
આ નાનકડી માળા “સત્યાગ્રહ’ પત્રમાં આવેલા “વિચારમણિ'ને વીણીને તૌયાર થઈ છે; એ રીતે એ સાપ્તાહિકની અણધારી કદર થઈ એ તો ઠીક, પણ એટલી સાહિત્યસેવા અજાણમાં તે પત્ર વાટે થઈ એ સંતોષની વાત છે.
ચિ૦ સૌo કમુબહેને આવી માળાઓ ગૂંથવાને શોખ કેળવ્યો છે, તે માટે મુબારકબાદી. આ અગાઉ તેમની ચાર માળા "વિચાર-માળા,” “ચિંતનમણિમાળા” “અમરવેલ” અને “આત્મ-શોધનમાળા” – બહાર પડી ચૂકી છે. તેમાં આ ઉમેરો એવો જ આવકારપાત્ર બને, એવી આશા છે.
વિશેષમાં, આ વિચાર-મણિમાળા હવેથી મારા મિત્ર સ્વ૦ મણિભાઈ વાઘજીભાઈ પટેલની પુણ્ય-મૃતિ રૂપે ચાલશે, એ ઠરાવ પરિવાર પ્રકાશન સહકારી મંદિરે કર્યો છે, એ આનંદની વાત છે. આથી, અણધારી કે આડકતરી રીતે, તેના નામનું “મણિમાળા' પદ સાર્થક બને છે.
ભાઈ મણિભાઈએ તેમના વિલમાં એક કલમ એવી મૂકેલી છે. રૂ. ૫૦૦૦ મગનભાઈ દેસાઈને આપવામાં આવે; તે એમની ઈચ્છા મુજબ, તેને ઉપયોગ કરી શકે. આની રૂએ, તેમના વારસાએ મને તે રકમ પહોંચાડી. મેં આ રકમ “પરિવાર પ્રકાશન”ને સોંપીને સૂચવ્યું કે, સ્વર્ગસ્થના નામથી સ્મારક ગ્રંથમાળા ચલાવે, તો તે પેટે આ રકમ તમને સોંપ્યું. તેણે આ સૂચન સ્વીકારી, આ માળા તેમના સ્મારક રૂપે ચાલુ રાખવા ઠરાવ્યું, તે માટે તેને આભારી છું.
એમાં અમુક ઔચિત્ય પણ છે. સ્વ૦ મણિભાઈ સદ્વિચારપ્રેમી સન્નિષ્ઠ ગૃહસ્થ હતા. સ્વાધ્યાય રૂપે સદુથનું વાચન કરવાને તેમને વ્યાસંગ જબરદસ્ત હતે. કેન્સરથી થયેલા પોતાના મરણના દિવસ સુધી એમનું ગ્રંથવાચન બરોબર ચાલતું હતું. આ તેમના ગુણને શોભે એવી રીતે ગ્રંથમાળાના મણકા પ્રયોજાશે, એવી આશા રાખું છું. આ માળા તેમના જીવનકાળ