________________
ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારી !
વિચારમાળાઓના ઉપયોગ કરી શકાય. હળવું વાચન આ નથી એમ ખરું; પરંતુ એની વિવિધતા મગજને જોઈતી હળવાશ સહેજે આપી શકે છે. રસનું અને મનેારંજનનું લક્ષણ નવી નવી વસ્તુના વારાફરતી પલટા દ્વારા મગજને એવા આટાપાટા ખેલવામાં રોકવામાં રહેલું છે. આવી પુસ્તિકાઓ એની ગરજ સારી શકે. સુવાચનના શાખીનેાને તે એ ખાસ આકર્ષશે એમ માનું છું. ચાપડીનું કદ પણ માફકસર રાખવામાં આવ્યું છે તે તેની આવી ઉપયોગિતા અને ઔચિત્યમાં ઉમેરો કરે છે.
re
છેવટે અંગત રૂપે આનાં સંકલનકાર, તથા પ્રકાશક વગેરેને પણ આભાર માનવા જોઈએ કે તે દ્વારા તેમણે મારા પત્રની કદર કરી છે. આ પુસ્તક વાચકોને પ્રિય થશે એવી આશા છે.
તા. ૨૯–૧–૬ર
અમરવેલનાં પુષ્પા
[મગનભાઈ દેસાઈ]
મગનભાઈ દેસાઈ
અ૦ સૌ૦ ચિ. *મુબહેનની આ ફૂલગૂંથણીનાં પુષ્પાની મહેક જ એવી જબરી છે કે, એને આ વિલાયતી ફૂલ જેવી નિર્ગંધ પ્રસ્તાવનાની જરૂર ખરી? પરંતુ, વરસેક ઉપર તેમણે ગુજરાતના વાચકોને ‘વિચારમાળા’ગૂંથી આપેલી, ત્યારના જ મારો અંગૂઠો આ 'મણિમાળા' માટેય પડાવી લીધેલા; એટલે ફરી તે કેમ જવાય! એટલા પૂરતું જ આ લખું છું.
સાચું સુભાષિત, દેશ અને કાળ તથા રંગ કે જાતિ ઇના ભેદભાવાથી પર એવા વિશ્વસાહિત્યની અમરવેલના પુષ્પ સમાન છે. માનવજીવનના મૌલિક અનુભવાના નિચેાડ, એવી જ સારરૂપ ભાષામાં, – કાવ્યની પેઠે મિ જેમ પ્રગટ થઈને – સુભાષિત રૂપે સંઘરાય છે. તેથી તેની સુવાસ સર્વદેશીય સર્વકાલીન હોય છે. એવાં પુષ્પાને વીણતા રહેવું, અને સૌને તેની માળા અર્પતા રહેવું, એ એક શાખ કેળવવા જેવા છે. લેખિકાબહેને એ શાખ કેળવ્યો છે, તેને માટે ગુજરાતના વાચક એમના આભાર માનશે.
તથા, વરસ ઉપર આપેલી ‘વિચારમાળા' ટૂંક વખતમાં વેચાઈ ગઈ, એ આવી કૃતિઓની ઉપયોગિતાના પુરાવા છે; તેમ જ ગુજરાતી વાચકની રુચિનું પણ એ એક નોંધપાત્ર લક્ષણ ખરું ને1 આ ‘મણિમાળા ’ તેવા જ આવકાર પામશે એમ માનું છું.