________________
ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! ભાગમાં પ્રાચીન આર્ય રાજનીતિ અને લખઅલખ-વાદી વેદાંત દર્શનનું ભાણ ભરપટ્ટ લાદી દીધું છે. એ બંને વસ્તુઓ તેના વિદ્વાન લેખકને ભૂલે આકર્ષક અને સુંદર લાગી હશે; પણ લખ-અલખ-વાદ ભારતવર્ષમાં જ કદી એક દર્શન તરીકે પ્રચાર પામ્યો ન હેઈ, તથા તેમણે વિચારેલું આર્ય રાજનીતિશાસ્ત્રનું વ્યવહારુ સ્વરૂપ પણ મલ્લરાજનાં ભવન સિવાય બીજે ક્યાંય મૂર્તિમંત થયું ન હેઈ, તેનો અનુવાદ કરવા વિદેશી વિદ્વાને પરિશ્રમ લે, એ શકય નથી.
હા, એ મહા-નવલના વાર્તાતતુને એ બધા ભારણ નીચેથી જુદો તારવી આપવામાં આવે, તે એ મહા-નવલના વિદેશી અનુવાદો શક્ય બને ખરા.
એટલે “સરસ્વતીચંદ્ર'ના એવા સભર સંક્ષેપોનું કામ ગુજરાતી ભાષામાં જેટલું થાય તેટલું આવકાર્ય ગણાય. સાહિત્ય અકાદમી તરફથી ગુજરાતીમાં અને હિંદીમાં એના બૃહત્સંક્ષેપ પ્રસિદ્ધ થયા છે. (વર્ષો અગાઉ પ્રથમ બે ભાગની હિંદી અને મરાઠી અનુવાદો પણ છપાયા હતા.) ગુજરાતીમાં બીજા પણ સંક્ષેપો બહાર પડયા છે. એ સંક્ષેપો મુખ્યત્વે જુદી જુદી ક્ષાના વિદ્યાર્થીઓને લક્ષમાં રાખીને કરવામાં આવ્યા છે. પરંતુ માત્ર નવલકથા તરીકે કરાયેલા તેના આ સંક્ષેપને હજુ સ્થાન છે, એ રસિયા વાચકોને તરત સમજાઈ જશે.
આ પ્રયાસમાં નવલકથાના માત્ર વાર્તાતંતુને જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. મૂળ સમર્થ લેખકની સુંદર, સુઘડ, શુદ્ધ ગુજરાતી ભાષાની છાપ, અનુભવસંચય, ચિંતન, ફિલસૂફી, સંસારમીમાંસા, તથા રસદષ્ટિની ખૂબીની ઝલક તેમાં ભારોભાર ઊતરે, એને પૂરો પ્રયાસ કરવામાં આવ્યો છે. એનું કદ કાઉન ચોરસ પાનથી વધે નહિ, તે એક ચાલુ સુંદર નવલકથા તરીકે એ વધુ સ્વીકાર્ય બને, એમ માની લઈ, કદની એ મર્યાદામાં આખી મહા-નવલના વસ્તુને સમાવવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. અને પરિણામે એમ લાગ્યું છે કે, વાર્તાને રસ વધુ સુભાગ્ય અને આહલાદક, બન્યો છે.
અલબત્ત, આ કરતાં પણ બીજા વધુ કે વિસ્તૃત સંક્ષેપ ન થઈ શકે એમ નથી; વસ્તુનાં જુદાં જુદાં અંગોને વધારે કે ઓછાં બહલાવીને જુદે જુદો ઘાટ અને રૂપ જરૂર ઉતારી શકાય. આમ આવા સંક્ષેપો પોતપોતાની જવાબદારીએ થયા પછી, એમને કોઈ સંક્ષેપ કઈ વિદેશી ભાષામાં ઉતારવો સહેલો બનશે, ત્યારે આપણી આ મહાન નવલકથા વિશ્વસાહિત્યમાં તેનું સમુચિત સ્થાન પ્રાપ્ત કરશે. જો કે, એ કામ પણ આપણે જ કોઈ