________________
ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધાર! વહેતું પાણી, નિબધ હવા અને વૃક્ષની છાયાની જેમ મનુષ્ય-હૃદયને પ્રેમ પણ કુદરતી દેન હેવાને કારણે, ઈશ્વરની પ્રસાદી હોવાને લઈને, સાધારણ જનસમાજને પણ એ નિરંતરાય મળી શકે છે, અને એમાં ગમે તેવી મુસીબતો અને સંકટોને પાર કરવાની ને નવા ઘાટ ઘડવાની શકિત પડેલી છે. કુટુંબ-જીવનની મર્યાદાઓ સુધી તે માણસને આને અનુભવ થયો છે; કોઈ કોઈ વાર એથી સહેજ આગળને અનુભવ પણ એણે કરી જે છે. પરંતુ વિશિષ્ટ સમાજના તમામ વિકટ કેયડાને પાર કરીને દુનિયાને નવો ઘાટ ઘડવા માટે પણ એમાં જે અપાર સામર્થ્ય પડેલું છે, તેનો અનુભવ કરવાને આરે આજનું જગત આવી ઊભું છે, એક નવી જ દુનિયા આકાર પામવાને મથી રહી છે. સાધારણ માણસ પોતાનામાં રહેલી આ શક્તિને કેટલે અંશે ઓળખી શકશે, કેળવી શકશે ને વ્યાપક કરી શકશે, તેના પર નવી રચનાને આધાર છે.
તત્વચિંતક અને વિચારકો આપણને સમજાવી રહ્યા છે કે, આવતી કાલની આ દુનિયાની વિભૂતિ નથી કેઈ સમ્રાટ, નથી કોઈ સેનાપતિ કે નથી કેઈ ધનિક સાધારણ મનુષ્ય એ જ આ નવી રચનાનું અધિષ્ઠાન બનવાનું છે. એથી આજના યુગનું સૌથી મોટું કામ દુનિયાના સાધારણ માણસમાં શક્તિ પ્રગટાવવાનું, એનામાં અભિકમ જગાડવાનું છે. સમાનતા, બંધુતા અને માનવપ્રેમના પાયા ઉપર ન સમાજ રચાય, તે માટે એ તૈયાર થાય, એવી શક્તિ તેનામાં પૂરવાની છે. એમ કરવામાં એને જયાં
જ્યાંથી સમર્થન મળે તેમ હોય તેવી કૃતિઓ ખૂબ ખૂબ વંચાય એ જરૂરી છે. તેથી વિશ્વસાહિત્યની આવી કૃતિઓ પિતપતાની ભાષામાં ઊતરતી રહે એવા પ્રયાસ હંમેશા આવકારને પાત્ર છે.
પ્રસ્તુત કથાકૃતિને આ રીતે ગુજરાતીમાં ઉતારવા માટે ભાઈશ્રી. ગેપાળદાસ પટેલને તેમ જ પ્રકાશન સંસ્થાને ગુજરાતી સમાજના ધન્યવાદ ઘટે છે. તા. ૬-૨-૧૬
વજુભાઈ શાહ