________________
૩ર
ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારે!
આધારે થયેલી રચના મનુષ્યના જીવન ઉપર કેટલી બધી અસર કરે છે, તેના આ નમૂના છે.
૩
વિચારકો અને લેખકો આપણને ભાન કરાવતા રહ્યા છે કે, મનુષ્ય સ્વભાવે ઊર્ધ્વગામી છે અને તેથી અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ, અશુભમાંથી શુભ તરફ અને સ્વાર્થમાંથી સર્વકલ્યાણ તરફ જવાની એની સહજ ગતિ હોય છે. પરંતુ સમાજ-વ્યવસ્થાને કારણે જો આવરણા કે અંતરાયો આવે છે, તો તેને લઈને એની ગતિ રૂંધાય છે; એટલું જ નહિ પરંતુ, કેટલીક વાર અવળી પણ થાય છે. હા, દરેક કાળે, દરેક સમાજમાં કેટલાંક મનુષ્યો એવાં અવશ્ય હાય છે કે, ગમે તેવા અંતરાયા છતાં પણ એમના જીવનપ્રવાહ શુભ સંસ્કાર તરફ ઊર્ધ્વગામી જ રહે છે અને એ પેાતાને ચરમ વિકાસ પણ સાધી શકે છે. પરંતુ મેટા ભાગના લોકો અનુકૂળ સમાજ-વ્યવસ્થાની અંદર સહેજે ઊંચે ચડે છે અને પ્રતિકૂળ વ્યવસ્થા હોય તો સદ્ગુણા કેળવવાનું એમને માટે કઠણ પડે છે; એટલું જ નહિ પરંતુ, ભારે પ્રતિકૂળતા હાય તા હીન સંસ્કારોના પણ તે ભાગ બને છે. માનવસમાજે સામંતને, રાજાઓને, નિકોને, સરમુખત્યારોને કેન્દ્રમાં રાખીને એમની આસપાસ જેટલી જેટલી સમાજવ્યવસ્થાએ અજમાવી જોઈ, તે બધી વ્યવસ્થાઓમાં સાધારણ માનવીનું અનેકવિધ શૈાષણ થતું રહ્યું, એનું જીવન કચડાતું રહ્યું, એની સંસ્કારવેલ કદી પાંગરી શકી જ નહિ અને પરિણામે જગતમાં દુ:ખ, કલેશ, સંઘર્ષના પાર ન રહ્યો. અને મનુષ્યના મનુષ્ય તરીકેને વિકાસ રૂંધાતા જ રહ્યો. એવા આજ સુધીના લગભગ એકધારો અનુભવ રહ્યો છે અને તેથી જ માનવીના યોગ્ય નિર'તરાય વિકાસ માટે અનુકૂળ સમાજ-વ્યવસ્થા ઉપર ભાર મૂકવામાં આવે છે. જે વ્યવસ્થામાં મનુષ્યમાં ઉત્તમ ગુણા પ્રગટે અને વિકસતા રહે એવી વ્યવસ્થાને આજે માનવી ઝખી રહ્યો છે. એને ખ્યાલ આવવા માંડયા છે કે, આવા પ્રકારની જ કોઈ સમાજ-વ્યવસ્થા આજના યુગની સમસ્યાઓના
-
– ગરીબાઈથી માંડીને યુદ્ધ સુધીની તમામ સમસ્યાઓના – ઉકેલ કરી શકશે અને તેથી જ જાતિ. કુળ, વર્ણ, ધર્મ કે રાષ્ટ્રના ભેદભાવથી પર રહીને માનવી માનવી વચ્ચેની એકતા તેમ જ સમાનતાને પાયામાં રાખનાર સમાજવાદ જેવી સામાજિક વ્યવસ્થા લેાકપ્રિય થતી રહી છે. સાધારણ માણસને, મનુષ્ય તરીકે પણ ઊંચે ચડવા માટે અનુકૂળ સમાજવ્યવસ્થા અનિવાર્ય છે, એ વાત વિશેષ ને વિશેષ સ્પષ્ટ થતી જાય છે.