________________
0
સરદાશ્રીને વિનોદ રાજકીય ખટપટ અને મહાત્માજીનો અહિંસાત્મક અસહકાર- આ બધામાં રમી રમીને પાકો પરેશાન થઈ રહ્યો છે. રાજસત્તા અને પ્રાબલ્ય એ બંનેની નિર્બળતા જાણે છે ને બનેને પચાવવામાં કુશળ છે. આ કૌશલ્યને કીમિયાગરના કીમિયાને પાથ લાગ્યો છે. છતાં તે ઓછું થયું નથી. એને ગાંધીવાદ ગાંધીજીના વાદથી જરા જુદો છે.- મહાયાન વીદ્ધ ધર્મ બુદ્ધના પોતાના સિદ્ધાંતોથી જુદો હતો તેમ.
“આ સૂબો ગામેગામ ફરે છે, અને હજારો સ્ત્રી પુરુષ એને સાંભળવા આવે છે. બારડોલીમાં બોલી શકે છે તે એક. અને એ બોલી શકે છે. એ એના ગુરુને બેસવામાં, અભિનયમાં, ઉચ્ચારણમાં આબાદ અનુકરણ કરે છે. પણ ગુરુની વાચા પર તપસ્વીનો સંયમ છે; તેના વાવૈભવને અનુક્રેકર, સત્ય, પિય-હિત થવાની મર્યાદાઓ છે. શિપના વાપરવામાં માનુષી રંગબેરંગી પડ્યું છે. તે આક્ષેપ મૂકે છે, તિરસ્કારે છે, હસાવે છે, ચોટે એવી
પડે છે; ખેડૂતોને સુગમ એ ગ્રામ્ય ટકેર કરે છે, તેછડાઈથી તે તિરસ્કાર છે ને ઉચ્ચારણની અવગણના કરે છે.
“ગુજરાતના વાકપાટવનો ઇતિહાસ ગઈ કાલે શરૂ થશે. પચ્ચીસ વર્ષ પર (૧૯૨૮ પહેલાં) ગુજરાતીમાં ભાષણ કરવું અશક્ય લેખાતું. અટી અટકી, ચાવી ચાવી બોલતા અંબાલાલ સાકરલાલ અને ધીમે ધીમે વાચન કરતા હોય એમ બોલતા રમણભાઈ ગુજરાતમાં એક વખત પ્રખર વક્તા મનાતા એ સમયમાં અપવાદરૂપ આપાત્મક વાપાટવના અગ્રેસરે સંઘવી અને મહારાણીશંકર, ત્યાર પછીના જમાનામાં ચંદ્રશંકર, વિભાકર, અને જમનાદાસ દ્વારકાદાસનાં શબ્દભાથી મુગ્ધ કરતાં ભાષણ. ત્યાર પછીના આ પ્રચલિત જમાનાના અધિષ્ઠાતા ગાંધીજી, જેણે ગુજરાતી ભાષાના વાકપાટવનાં ઘણાં અંગે ખીલવ્યાં. ભાષાની ઘણા પ્રકારની સમૃદ્ધિનો ઉપયોગ, શ્રોતાવુંદ નચાવવાની જુદી જુદી ખૂબીઓ, સમયોચિત ભાવ પેદા કરવાની શક્તિ, શ્રોતાઓનાં હદય ભેદવાની અને આચાર ફેરવવાની કવા, પયગંબરી પ્રેરણાનું સ્વરૂપ, – આ બધાં જે ઉત્તમ વાક્વાટવનાં મુખ્ય અંગ હોય, તે આ વલ્લભભાઇનાં બારડેલીની વ્યાખ્યાને ગુજરાતી વાક્ષાટવના ઇતિહાસમાં સીમાચિન લેખી શકાય.
એની કટાક્ષમયતા, એને વિનેદ સટ છે – સામાને ભયંકર છે, પોતાનોને પ્રોત્સાહક છે. એની ઠેકડીમાં હિંમત પરવાની અજબ શક્તિ છે.