________________
રિઝરેકશન હૃદયપલટી યાને પુનરુત્થાન લે. ટૉલ્સ્ટૉય સંપાગેપાળદાસ પટેલ પ્રસ્તાવનાઃ મગનભાઈ દેસાઈ કિ. ૨૫-૦૦
પાપ અને પ્રાયશ્ચિત્ત ટોલ્સ્ટોયની આ નવલકથા ૧૯૨૩-૨૪માં પહેલી મારા વાંચવામાં આવી. ત્યારની એની મારા પર થયેલી અસર આજે આ તેને સારાનુવાદ (કે, ખરું જોતા, તેને સારરૂપ ગુજરાતી અનુલેખ કહે ઘટે. કેમ કે તે અનુવાદ કે ભાષાંતર નથી) વાંચતાં તાજી થઈ. પોતાના લખાણથી ધારી અસર ન કરે તે તે ટૉસ્ટૉય નહીં: તેમાંય આ તેની ચોપડી તો, એક દૃષ્ટિએ જોતાં, તેની કૃતિ અને શૈલીને ઉત્તમ નમૂનો છે.
કથાવાર્તા લખવાનું સાહિત્યિક કામ ટૉલ્સ્ટૉયની ૫૦ ઉમર સુધીના પૂર્વજીવનમાં બહુધા પૂરું થયું હતું. તે પછી તેણે યુરોપીય સુધારાની સ્થિતિને અભ્યાસ કરી, ધર્મ, સમાજ, અર્થશાસ્ત્ર, નીતિ, કળા, યુદ્ધ વગેરે ગંભીર વિષયો પર ચિંતનાત્મક પ્રબંધો અને નિબંધો લખ્યા. આ કથા તેમાં એ રીતે અપવાદ છે કે તે તેનાં છેલ્લાં વરસમાં લખાઈ છે. તો તેથી એમેય થયું છે કે, લેખકને જીવનમાં લાધેલા અનુભવો અને અર્વાચીન યુરોપીય ને ખ્રિસ્તી જગતના પોતાના ઊંડા આજીવન નિરીક્ષણ અને અભ્યાસને નિચોડ તેના આ કથાનકમાં સહેજે ઊતર્યો છે. એમ ટૉલ્સ્ટૉયના ચિંતનાત્મક નિબંધોનું વસ્તુમાત્ર– કહો કે, તેના દીર્ઘજીવનને અનુભવસાર, તેની આ કથામાં યથાસ્થાને યથાપ્રમાણ સહેજે ઊતય – આલેખાયાં છે; અને છતાં, તેની કળાની ખૂબી છે કે, કથા તે અર્થે લખાઈ છે તેમ નથી લાગતું. પરંતુ જીવનમાં જે બધું લૂંટાઈ ઘંટાઈને આત્મસાત્ બની રહેલું, તે આ સમર્થ કથાકારની પ્રતિભામાંથી એક જોશીલી કથા રૂપે એમાં પ્રગટ થયું છે.
અને તે કથાનું રસબીજ પણ એવું જ પ્રબળ અને માનવજીવન વિશે મૌલિક મૂલ્યવાન છે. માણસ તેના કર્મથી ચડે છે કે પડે છે. તેમાં પડવાને