________________
ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! આ પુસ્તકોનું હાર્દ છે પ્રેમ-શૌર્ય. એ શબ્દને આપણે ત્યાં ચલણી સિક્કાનું રૂપ આપ્યું આપણા વીર નર્મદે.
ધ્વજ પ્રકાશશે ઝળળળ કસુંબી પ્રેમશૌર્ય અંકિત, તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને પ્રેમ-ભક્તિની રીત,
ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત.” કવિઓને દષ્ટા પણ કહ્યા છે. નર્મદે ઉપરની પંક્તિઓ રચી તે પછી થોડા જ દાયકામાં ગુજરાતની સંતતિને, અરે ગુજરાતની જ નહિ, સારા ભારતની સંતતિને અને આગળ વધીને કહીએ તે દુનિયાના સંસ્કૃત મનાતા ખંડે તથા અંધારા પ્રદેશોની સંતતિને પણ પ્રેમ અને શૌર્યના અનેખા પાઠ અનોખી રીતે પઢાવનાર અને એ અનોખી રીત બતાવનાર ગાંધી ગુજરાતમાંથી જ પાકશે અને ભારતમાતાની શૃંખલા એ જ તેડાવશે, એવું કેણે કહ્યું હતું?
પૈસા-ઘડુ”નું અળખામણું નામ પામેલા ગુજરાતમાંથી પણ ગાંધીજીના થોકબંધ બરકંદાજો જિલ્લે જિલ્લે પાકશે અને તેઓ આ કથાના પેલા બરકંદાજેની પેઠે યુદ્ધના આહવાનને ઝીલી લેશે કે માથે લીધેલી જવાબદારી અદા કરતાં મતના મોઢામાં પણ લેશમાત્ર થડકાટ વિના ઝુકાવી દેશે અને પિતાના સેનાપતિના અણસારા માત્રથી લાઠી કે ગોળીબાર, કારમાં જેલવાસનાં આમંત્રણ અને મિલકતોની ફનાગીરી રૂંવાડું પણ ફરકવા દીધા વિના સહર્ષ ઝીલી લેશે, એવું કોણે કપેલું?
નાનાં નાનાં દૂધમલ બાળકો, અબળા મનાતી સલૂણી, વરણાગિયા યુવાને, રીઢા આધેડે, અને નિવૃત્તિ ઝંખતા વાનપ્રસ્થીઓની પણ વણઝારો બલિદાન માટે વણથંભી ચાલી નીકળશે, એવું ભવિષ્ય કયા નજમીએ ભાખેલું?
ગુજરાતના બે નામચીન બહારવટિયા – વિઠ્ઠલભાઈ અને વલ્લભભાઈ, વિઠ્ઠલભાઈની હિંમત અને રાજકારણ-પટુતા; વલભભાઈને વજસંકલ્પ અને ગાંધીજી તથા દેશ પ્રતિની અનન્ય ભકિત અને આદર્શ માટે સર્વસ્વને ઉલાળિયો કરવાની વીર વૃત્તિ, જેને પરિણામે અશોકના કાળમાંયે ન હતું એવું એકત્રિત ભારત લોહીનું એક ટીપુંય પાડયા વિના અને ચપટી વગાડીએ એટલા સમયમાં સરજી દેવાયું! જગતભરના ઇતિહાસમાંથી આવી સિદ્ધિને જો કોઈ શોધી આપશે?
વેંત ભય માટે માજયનાં ગળાં કાપવા તૈયાર થનાર અને હાઈકોર્ટ સુધી લડીને મમતમાં ખુવાર થનારા સમાજના કળણમાંથી બહાર નીકળી આવી,