________________
વૃતાંજલિ
અહીંયાં એ નોંધવું પડે કે, રાજ્ય, મંત્રબળ ઈ૦ જડ સાધને પણ, અતે જોતાં ચેતન એવા માનવો વડે જ સતેજ કે સક્રિય બની શકે. અરે, જેવો સરમુખત્યાર તેવું જ તેનું તાનાશાહી ચિત્ર બનશે ને? આમ વિચારતા, કવાની ચેતનપુજા બલવત્તર ગણાય; વિજ્ઞાનની વસ્તુપૂજ, છેવટે લેતા, મોટી સવડ જ ગણાય.
હૃગોની આ કથા આજના યુગમાં પણ ખૂબ રસથી અને લાભપુર્વક વંચાય છે, તે બતાવે છે કે, વ્યક્તિ અને વસ્તુ વચ્ચે જ પસંદગી કરવાની હેય, તે વ્યક્તિ જ ચડે, કેમ કે, પસંદગી વ્યક્તિ જ કરે છે. વસ્તુ વ્યક્તિ માટે છે, નહીં કે વ્યક્તિ વસ્તુ માટે, આજના જડવાદો વ્યક્તિને વસ્તુ માટે બતાવીને દુનિયાને ધાર્યો ઘાટ ઉતારવા તાકે છે, એમ ખરું. છતાં, તે સિદ્ધાન્તના પિર રૂપ એવા રશિયામાં પણ ટૉલ્સ્ટૉય ઇ. જેવા સાહિત્યસ્વામીએ રસપૂર્વક પાછા વેચાય છે. એ બતાવે છે કે, માનવહૃદય છેવટે છે તેવું જ છે. તેને પ્રેમ અન્ય માટે છે; પ્રેમપાત્ર જનેને સારુ ઘસાઈ મરવાને માટે તે હૃદયમાં ઊંડી ભાવના પણ છે જ. આ તે કાયદા-કાનૂન દ્વારા તેમાં ભાગ્યે ફેરફાર કરી શકાય. ગરીબાઈ ૪૦ ગુને નથી; પરંતુ આવા માનવપ્રેમ કે હૃદયધર્મને દ્રોહ એ મૂળ ગુને છે. આવા પ્રેમધર્મની સાક્ષાનું વફાદાનું આ કથાચિત્ર વાંચતાં અપૂર્વ સંતોષ અને આત્મતૃપ્તિ થાય છે. ભાઈ ગોપાળદાસની આ બીજી ચોપડી માટે કાંઈક લખવાને વિષે હ્યુગોની આ કથાનું ચિંતન-મનન કરવાની જે તક મળી, તેને માટે આભારપૂર્વક, તે મહાન માનવકથાકાર માટેની આ મારી કૃતાંજલિ પૂરી કરું છું. ૨૪-૧૦-૧૯૬૩
મગનભાઈ દેસાઈ