________________
૫૩
વીશી કે કિલ્લો? પાથરી દેવામાં આવી. તે ધાગડીનાં ઊનનાં ગૂંચળાં – ગાંઠા પથ્થરના ટુકડા જેવાં કઠણ બની ગયેલાં હતાં. તેના ઉપર જે ચાદર – ઓછાડ હતાં, તે તો જાણે કપડા કરતાં ચામડાનાં વધારે લાગે તેવાં ચિઢાણાં થઈ ગયેલાં હતાં.
વીશીવાળાની પત્ની અને દીકરી હવે ડૉન કિવકસોટના શરીર ઉપર લેપ કરવા આવ્યાં. પેલી બટકી નોકરડી હાથમાં મીણબત્તી લઈ ઊભી રહી. ડૉન કિવકસોટના શરીર ઉપરનાં સોળ જોઈ, પર્વત ઉપરથી ગબડવાથી આવાં સોળ શી રીતે ઊઠે, એવી નવાઈ તેઓએ બતાવી. પણ સાન્કોએ અષ્ટપણું ગમે તેમ ખુલાસા કરી, પોતાને પણ એ મલમની જરૂર છે એમ કહીને થોડો માગી લીધો. પેલાએ પૂછયું, “તમને શું થયું છે, ભલા?”
સાન્કોએ જવાબ આપ્યો, “મારા માલિકને-નાઇટ સાહેબ ડૉન કિવકસોટ દ લા-માંશાને પર્વત ઉપરથી ગબડતા જોઈ, મને પણ તેમના શરીર જેવાં ઢીમણાં ભય – ત્રાસના માર્યા થઈ ગયાં છે.”
વીશીવાળાની સુંદર દીકરીએ જવાબ આપ્યો, “બરાબર છે, મને પણ કોઈ કોઈ વાર ટાવર ઉપરથી પડ્યાનું સ્વનું આવે છે, ત્યારે જાગીને ઊઠતાં, મારું શરીર પછડાયેલું અને છોલાયેલું માલૂમ પડે છે!”
ડૉન કિવકસોટ વીશીવાળાની એ સુંદર દીકરીથી બહુ પ્રભાવિત થઈ ગયા હતા. તેને તે એ કિલ્લાના માલિકની સુપુત્રી – ઉમરાવજાદી જ માનતા. તેણે તેમને દુ:ખાય નહિ તે રીતે કાળજીથી લેપ કર્યો હતો તથા ઊપસી આવેલાં સોળ શોધી શોધીને ત્યાં દવા લગાડી હતી. એટલે જ્યારે મા-દીકરી એ કામ પરવારી જવા તૈયાર થયાં, ત્યારે ડૉન વિકસોટે ભાવનાના ઉદ્રકમાં આવી જઈ તેમને સંબોધીને જણાવ્યું, “તમારી આ માયાભરી – મમતાભરી – વહાલભરી સારવારથી હું બહુ આભારી થયો છું અને હું આ દિવસને હંમેશાં મારી સ્મૃતિમાં અંકિત કરી રાખીશ. હું તો એટલે સુધી કહેવા તૈયાર છું કે, લેડી લસિનિયાના પવિત્ર પ્રેમનો હું તાબેદાર બંદી અત્યાર આગમચ ન બની ગયો હોત, તો આ ભલી સુંદરીના પ્રેમનો હું હંમેશ માટે ભિક્ષુક બની રહેત!”