________________
યાંસિયનો ..
૫૧ ઓછું ઘરડું તો ગણતો જ હતો. પણ હવે મને સમજાયું કે, બહારનો દેખાવ હમેશ ભુલામણો હોય છે. તેના કરતાં તો મારું ગધેડું વધુ ડાહ્યું; તે આપણા બધામાં એકલું જ માર ખાધા વિના સાજું સમું રહ્યું
છે.”
જો ભાઈ, દરેક કપરી પરિસ્થિતિમાં પણ ભગવાન કશીક નાઠાબારી રહેવા દે છે, તે આનું નામ. તારું ગધેડું સાજું છે, એટલે તેના ઉપર નાખીને તું મને કોઈક નજીકના કિલ્લામાં લઈ જઈ શકીશ, જ્યાં અનેક ઉમરાવ-બાનુઓ અને રાજકુમારીઓ ગીત ગાતી અને ઓવારણાં લેતી, મારી ખાતરબરદાસ્ત કરશે.”
સાન્કોને હવે ઊઠયા વિના છૂટકો ન હતો; એટલે દરેક હાલ-ચાલ વખતે થતા દુ:ખથી ઊંહકારા ભરતો, પોતાની આ વલે કરનાર અને કરાવનારને સેંકડો ગાળો ભાંડતો, બદદુવાઓ દેતો, તથા લાખો શાપો વરસાવતો તે માંડ માંડ પગ ઉપર ઊભો થયો. ધીમે ધીમે ખોડંગતો જઈ, ગધેડાને તે પાસે ખેંચી આવ્યો. ત્યાર બાદ મહામહેનતે તેણે રોઝિનેન્ટીને તેના ચાર પગ ઉપર ખડો કર્યો, અને છેવટે ડૉન કિવકસોટને લગભગ ઊંચકીને ગધેડા ઉપર ગોઠવી દીધા. ત્યાર બાદ, રોઝિનેન્ટીને ગધેડાના પૂંછડે બાંધી, ગધેડાની લગામ પકડી, તેમને દોરતો તે ધીમે ધીમે આગળ ચાલવા લાગ્યો.
નસીબજોગે, ધોરી રસ્તો જલદી તેના હાથમાં આવી ગયો; અને એકાદ ગાઉ ગયા પછી વીશીનું એક મકાન દૂરથી તેમની નજરે પડયું. ડૉન કિવકસોટે કહ્યું કે, તે કિલ્લો છે; સાન્કોએ કહ્યું કે, તે વીશી છે. બંને વચ્ચે તે બાબત બહુ ભારે લમણાઝીક ચાલી, પણ છેવટે વીશીનો દરવાજો આવતાં સાન્કો અંદર પેઠો, અને તકરાર ત્યાં જ અધૂરી રહી.