________________
બિસ્કેન
૪૧ ડૉન કિવકસોટે જરા પણ અભિમાનનો ભાવ ધારણ કર્યા વિના તેને જવાબ આપ્યો, “જાઓ બાનુ, જે વસ્તુ મેં તેના ઘમંડને કદી ન બક્ષી હોત, તે હું તમારી વિનંતીને બહું છું– ભલે તે જીવતો રહે!”
સાન્કો પાન્ઝાને ખૂબ માર પડયો હતો તથા તે ખૂબ ઢીલો થઈ ગયો હતો; પણ પોતાના માલિક અને પેલા બિસ્કન વચેનું યુદ્ધ તે નિહાળી રહ્યો હતો તથા પોતાના માલિકને વિજ્ય મળે તે માટે પરમાત્માને પ્રાર્થના કર્યા કરતો હતો. ડૉન કિવકસોટને હવે વિયીપણે રોઝિનેન્ટી ઉપર ફરીથી સવાર થવા જતો જોઈ, તે તરત ડૉન કિવકસોટ પાસે આવ્યો અને ઘૂંટણિયે પડી બોલ્યો, “માલિક, તમે આ લડાઈમાં જે ટાપુ જીત્યા, તેનો ગવર્નર મને બનાવી દો.”
ડૉન કિવકસોટે તેને જવાબ આપ્યો, “ભાઈ, ધીરજ રાખે; આ લડાઈઓ એ કંઈ રાજ્યો કે ટાપુઓ જીતવા માટેની લડાઈઓ નથી; આ તો રસ્તે જતાં આવી પડેલા સામાન્ય પ્રસંગો માત્ર છે – જેમાં કેવળ ફૂટેલું માથું કે કપાયેલો કાન જ મળે. પેલાં મોટાં પરાક્રમો તો હજુ ભવિષ્યમાં આવવાનાં છે, ત્યારે હું તને ગવર્નરપણું શું, તેથીય વધુ કંઈક આપી શકીશ.”
સાન્કોએ રાજી થઈ ડૉન વિકસોટના હાથને ચુંબન કર્યું અને પછી તેમને ઘોડા ઉપર ચડવામાં મદદ કરી, પોતે પણ પોતાના ગધેડા ઉપર બેસી ગયો.
રસ્તે ચાલતાં સાન્કોએ ડૉન કિવકસોટને કોઈક દેવળ-બેવળમાં પહોંચી જવા વિનંતી કરી; તેણે કહ્યું, “પેલો ઘાયલ થયેલો માણસ ધાડપાડુઓ અને લૂંટારુઓને જેર કરવા રાખેલાં થાણાં ઉપર જઈને ફરિયાદ કરશે, તો આપણને તરત ગિરફતાર કરવામાં આવશે.”
ડૉન કિવકસોટે તેની વાતને હસી કાઢતાં કહ્યું, “કયાંય મેં એવું વાંચ્યું નથી કે, નાઈટ લોકો જે કાંઈ યુદ્ધો લડે, તે બદલ તેમના ઉપર કોઈ ન્યાયાધીશે ખૂનના આરોપસર કામ ચલાવ્યું હોય.”
સાન્કોએ જવાબ આપ્યો, “ખેતરોમાં તો મારામારી કે કાપાકાપી કરનારા લોકોને ગિરફતાર કરાતા અને સજા પામતા મેં જોયા છે. બાકી