SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ મહાપ્રયાણ - ૩૫ તોપણ ઊંહકારો ન ભરી શકે,– ભલેને તેઓનાં આંતરડાં તેમની નજર સમક્ષ બહાર નીકળી પડતાં હોય.” તો પછી મારે કંઈ કહેવાનું રહેતું નથી; જોકે, તમને લાગ્યું હોય, ત્યારે તમે થોડાક ઊંહકારા ભરી લો, તો જરૂર રાહત રહે. હું પોતે તો થોડુંક દુ:ખ થતું હશે તો પણ મોટેથી ઊંહકારા ભરવાનો! ઊંહકારા ન ભરવાનો નાઈટ-લોકો માટેનો કાયદો તેમના સ્કવાયરોને લાગુ નહિ જ પડતો હોય, એમ હું માનું છું.” ડૉન કિવકસોટને પોતાના સ્કવાયરના ભોળપણ ઉપર હસવું આવ્યું; અને તેમણે તેને જ્યારે મરજી થાય ત્યારે, જેટલી મરજી થાય તેટલા, ઊંહકારા ભરવાની પરવાનગી આપી; કારણ કે, સ્કવાયરો માટે એવી કશી બંધી હોય એમ તેમના વાંચવામાં આવ્યું નહોતું. સાન્કોએ હવે માલિકને પૂછયું, “તમારે, ખાવાપીવાનું કાંઈ પતાવવાનો વિચાર છે કે કેમ?” ત્યારે ડૉન કિવકસોટે તેને પોતાને જ્યારે મરજી થાય ત્યારે ખાઈ લેવાનું કહ્યું; કારણ કે તેમને હજુ જરા પણ ભૂખ લાગી ન હતી. સાન્કોને રજા મળતાં તેણે ઝોળીમાંથી ખાવાનું કાઢી કાઢીને ખાવા માંડ્યું તથા પેલી મશકમાંથી મોટા મોટા ઘૂંટડા ભરવા માંડ્યા. માલિકની પાછળ પાછળ, મરજી મુજબ ખાવાનું ખાતો અને પીવાનું પીતો, તે ધીમે ધીમે જવા લાગ્યો. ઉપરાંતમાં માલિકે ગવર્નર અને રાજા બનાવવાનાં વચનો આપ્યાં હતાં, તે બધું યાદ કરતાં કરતાં, આ નોકરી તેને આનંદપ્રદ લાગવા માંડી, ભલે એ થોડીઘણી ભયપ્રદ હોય. એ રાત તેમણે ઝાડ નીચે જ ગાળી. ડૉન કિવકસોટે ઝાડની એકાદ ડાળી તોડી લીધી અને તેને છોલી કરી, તેના ઉપર ભાલાનું ફળે બેસાડી દીધું. પરંતુ તે રાતે તેમણે જરાય આંખ મચી જ નહિ; અને પોતે વાંચેલાં પુસ્તકોમાં જણાવ્યા પ્રમાણે પોતાની પ્રેમરાજ્ઞી તુલસિનિયાના ધ્યાન-ચિંતનમાં જ આખી રાત ગાળી. સાન્કો પાન્ઝાએ પેટ ભરીને ખાધું પીધું હોવાથી, તે તો સવાર સુધી મુંડની પેઠે ઘોર્યો.
SR No.006006
Book TitleDon Quicksot
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1966
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy