________________
૩૪.
ડૉન કિવકસોટ! ગૃહ ઉપાડી ગયો છે, તે જ જતાં જતાં આ રાક્ષસોને પવનચક્કી બનાવતો ગયો છે, જેથી મને એ રાક્ષસોને માર્યાની કીતિ હાંસલ ન થાય. લડાઈમાં આવા વારાફેરા તો આવ્યા જ કરે ભાઈ; તે કેટલાંક આવાં યુદ્ધો અને તેય માયાવી મહાયુદ્ધો જોઈ નાંખ્યાં છે? પણ છેવટે મારી તરવાર એ બધાંના જાદુ-મંતર સામે વિજયી નીવડવાની છે, એની ખાતરી રાખજે!”
“આમીન, જેવી ભગવાનની મરજી!” કહીને સાન્કોએ ડૉન કિવકસોટને તેમના પગ ઉપર ખડા કર્યા તથા થોડી મહેનતે રોઝિનેન્ટીને પણ ઊભો કર્યો. પછડાટમાં તેની ગરદન સારી પેઠે છોલાઈ ગઈ હતી. તેઓ હવે ધીમે ધીમે આગળ ચાલ્યા.
૩
ડૉન કિવકસોટે લૅપીસ-ઘાટ તરફ જતો રસ્તો પકડયો. પર્વતના એ ઘાટમાં સરકારી ટોલનાકું હતું તથા એ માર્ગે અવરજવર ઘણી હતી. એટલે ડૉન કિવકસોટને એ માર્ગે જતાં “કોણી સુધી હાથ ઝબોળાય” એટલાં પરાક્રમો કરવાની તક મળશે, એવી આશા હતી.
પરંતુ ડૉન કિવકસોટનો ભાલો ભાગી ગયો હતો, તેનો તેમને ભારે રંજ હતો. તેમણે સાન્કોને એક પુસ્તકનો પ્રસંગ યાદ લાવીને સંભળાવતાં કહ્યું, “એક સ્પેનિશ નાઈટની તરવાર યુદ્ધમાં અધવચ ભાગી ગઈ, ત્યારે તેણે પાસેના એક મોટા ઓક ઝાડને મૂળમાંથી ઉખેડી નાંખ્યું અને પછી તેના વડે દુશ્મનોને એવા ઝાપટવા માંડ્યા કે તે નાઈટનું નામ જ ઝાપટિયા’ તરીકે મશહૂર થઈ ગયું. હું પણ રસ્તામાં આવતા કોઈ ઝાડને ઉપાડીને એવાં જ પરાક્રમ કરવાનો છું, તે તું નજરે જોજે.”
તમે જરૂર ભગવાનની દયાથી એવાં એવાં અનેક પરાક્રમો કરવાના છો, એવો મને વિશ્વાસ છે. પરંતુ, તમે જરા તમારા ઘોડા ઉપર સીધા બેસો તો સારું; તમે એક બાજુ એટલા બધા નમેલા રહો છો કે, જાણે હમણાં ગબડી પડશો. કદાચ તમે ઊછળીને પડયા હતા ત્યારે તે બાજુ કંઈક વિશેષ ઈજા તમને થઈ લાગે છે.”
“ખરી વાત છે,” ડૉન કિવકસોટે જવાબ આપ્યો; “પરંતુ નાઈટલોકોનો એવો કપરો આચાર છે કે, તેઓ ગમે તેવા ઘા થયા હોય