________________
૩૩
મહા-પ્રયાણ તો તત્ક્ષણ એ ત્રીસે જણ સાથે સીધો યુદ્ધમાં ઝંપલાવું છું.” આમ કહી, તેમણે તરત રોઝિનેન્ટીને એડી મારી.
સાન્કો બૂમો પાડતો જ રહ્યો કે, ‘એ તો પવનચક્કીઓ જ છે –રાક્ષસો નથી!” પણ ડૉન કિવકસોટને તો કલ્પનાચક્ષુ સિવાય બીજી આંખો જ ન હતી, એટલે તે એક પવનચક્કીની તદ્દન પાસે આવી ગયા હતા છતાં મોટેથી બૂમ પાડીને બોલ્યા, “કાયરો, હવે તમારાં તોતિંગ શરીરો લઈને નાસી ન જતા; હવે તમારો કાળ આવી પહોંચ્યો છે; અત્યાર સુધી તમે મનમાની રીતે આખા જગતને પીડયું છે – સંતાપ્યું છે– રિબાવ્યું છે; પરંતુ હવે તમારો દિવસ ખતમ થાય છે!”
. તે જ ઘડીએ થોડો પવન ભરાતાં પવનચક્કીનાં પાંખિયાં ખસવા લાગ્યાં. તે જોઈ ડૉન કિવકસોટે ફરીથી બૂમ પાડીને કહ્યું, “તમે લોકો મહાદાનવ બ્રાયેરિયસ કરતાં પણ વધુ શસ્ત્રસજજ છો, છતાં તમારું હવે આવી બન્યું છે, નક્કી જાણો!” આમ કહી, ડૉન કિવકસોટે ભાલો આગળ ધરી, ઢાલ હાથમાં પકડી, રોઝિનેન્ટીને તે તરફ ચાર પગે ઉપાડ્યો. દરમ્યાન તેમણે લેડી ડુલસિનિયાને યાદ કરીને, આ કારમી કટોકટીની ઘડીએ પોતાના સેવકને જ વિજ્યમાળા અર્પવી, પોતાનો યશ દિગંતવ્યાપી કરવા આજીજી કરી.
દરમ્યાન, પવનચક્કીનાં પાંખિયાં, જોરથી બૂમવા લાગ્યાં હતાં. એટલે રોઝિનેન્ટી પાસે જઈ પહોંચતાં ડૉન કિવક્સોટનો ભાલો એક પાંખિયાની
અડફેટમાં આવતાં જ ફટાક દઈને ભાગી ગયો તથા ડૉન કિવસોટ અને રોઝિનેન્ટી પણ એના ધક્કામાં આવી જઈ, ઊછળીને દૂર એટલા જોરથી પટકાયા કે, બંનેનું હાલવું ચાલવું પણ તત્કાળ પૂરતું તો બંધ થઈ ગયું.
- સાન્કો હવે પોતાનું ગધેડ દોડી શકે તેટલી ઉતાવળથી ત્યાં આવી પહોંચ્યો. “ભગવાન દયા કરે ! મેં તમને ચેતવ્યા નહોતા કે, આ તો પવનચક્કીઓ છે? જેના મગજમાં પવન ભરાયો હોય તેના સિવાય કોઈ તેમને બીજું કાંઈ ધારે જ નહિ!”
“ભાઈ, તું આ બધી માયાવી લડાઈઓની વાત સમજતો નથી.” ડૉન કિવક્સોટ કરાંઝતાં કરાંઝતાં બોલ્યા, “હવે મને ચોક્સ ખાતરી થઈ છે કે, જે જાદુગર ફ્રી સ્ટોન વાદળ ઉપર આવીને મારાં પુસ્તકો તથા અયાસ
ડૉ–૩