________________
ડૉન કિવકસોટ !
તેઓએ ઠાકોરને કેટલાય સવાલ પૂછ પૂછ કર્યા, પણ ડૉન વિક્સોટે જવાબમાં માત્ર ખાવાનું અને આરામ જ માગ્યાં. તેઓએ ઝટપટ તેમને ખાવાનું આપી દીધું, જે ખાઈને પછી તેમણે ઘસઘસાટ ઊંઘવા માંડયું.
૩
૨૮
બીજે દિવસે વહેલી સવારે પાદરી-બુવા હજામબાબાને લઈને ત્યાં આવી પહોંચ્યા. તેમણે ભત્રીજી પાસેથી પેલી ચોપડીઓવાળા ઓરડાની ચાવી માગી. તેણે તરત તે કાઢી આપી.
તે ઓરડામાં સો મોટાં મોટાં પાકાં બાંધેલાં પુસ્તકો હતાં અને નાનાં પણ કેટલાંય પુસ્તકો હતાં. પાદરીઓ એ પુસ્તકોમાં કોઈ સારું ઉપયોગી ધર્મપુસ્તક હોય તો તે કાઢી લેવા દરેક પુસ્તકનું પહેલું પાન જોવા માંડયું. પછી ઉપરની બારીએથી જ નીચેના વાડામાં એ પુતકો નાંખવા માંડયાં.
ધીમે ધીમે પાદરી-બુવાને એ પુસ્તકોનાં પ્રથમ પાનાં જોતાં એટલો થક ચડયો અને એવો કંટાળો આવ્યો કે, તેમણે બાકીનાં પુસ્તકોને જોયા વિના જ નીચે ફગાવી દેવાની રજા આપી.
રાતને વખતે પછી ઘરકામવાળી બાઈએ એ બધાં પુસ્તકો ઉપરાંત ઘરમાં બીજું કંઈ પણ કાગળ જેવું જે હાથ આવ્યું, તે બધું સળગાવી દીધું.
દિવસ દરમ્યાન ડૉન વિકસોટનો લવારો ચાલુ જ રહ્યો હતો, પણ સૌ તેમને સમજાવી-પટાવી, ખવરાવી-પિવરાવી, તરત ઊંઘાડી દેતાં.
દરમ્યાન પાદરી-ભુવાએ પોતાના મિત્રનું પાગલપણું દૂર કરવાનો બીજો એક ઉપાય પણ વિચારી રાખ્યો. તેમણે કહ્યું —“પુસ્તકોના એ ઓરડાનું બારણું જ ચણાવી લેવું; જેથી, જ્યારે ઠાકોર ફરીથી ફરતા હરતા થાય, ત્યારે તે ઓરડા તરફ જવા ન પામે. તેમને આપણે બધાએ એમ કહેલું કે, તમે બેહોશીમાં હતા તે દરમ્યાન એક માયાવી જાદુગર આવીને પુસ્તકો ભરેલો આખો ઓરડો લઇને ઊડી ગયો છે.”
સૌને એ વાત રુચતી આવી. એટલે તરત તેનો અમલ કરી દેવામાં
આવ્યો.