SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ શુભ પ્રારંભ હાથમાં લઈ ભીંત સામે પટાબાજી ખેલવા લાગી જતા! પછી જ્યારે તે થાકી જતા ત્યારે કહેતા કે, તેમણે પહાડ જેવડા ચાર રાક્ષસોને યુદ્ધમાં મારી નાંખ્યા છે. તેમને કપાળેથી જે પરસેવો ટપકતો, તેને તે લડાઈમાં થયેલા ઘામાંથી ટપકતું લોહી માનતા. પછી પાણી પીને તે શાંત થતા, ત્યારે તે કહેતા કે, તો ફલાણા ષિએ આકાશમાર્ગે આવી તેમને દિગ્ય ઔષધિ પિવડાવીને ફરી સાજા કરી દીધા છે. એ ચોપડીઓથી જ આ બધી મોકાણ થઈ છે; એ બધી વેળાસર બાળી નાંખી હોત, તો તેમનું મગજ આમ ચસકી ગયું ન હોત.” પેલા પાદરી-બુવા હવે બોલ્યા – “સાચી વાત છે, અને આપણે એ બધી ચોપડીઓ બાળી જ મૂકવી છે, જેથી ભવિષ્યમાં પણ બીજા કોઈનું મન તેઓ એમ બગાડી ન મૂકે.” પેલો ખેડૂત બહાર ઊભો ઊભો આ બધું સાંભળતો હતો. તે હવે ઠાકોરની સાચી બીમારીનું સ્વરૂપ સમજી ગયો. તેણે બૂમ પાડીને સૌને બહાર બોલાવ્યાં અને ઠાકોરસાહેબની સુપરત તેમને કરી, તથા પોતાને તે કઈ હાલતમાં કયાં મળ્યા હતા, તે બધું કહી સંભળાવ્યું. પેલાં બધાં તરત ગધેડા પાસે દોડી ગયાં. ડૉન કિવકસોટથી આપમેળે તો ઊતરી શકાય તેમ નહોતું. એટલે તેં તેમને ઊંચકીને અંદર લાવ્યાં. પણ તેમણે બૂમો પાડીને જણાવ્યું કે, “ઘોડાની ગફલતને કારણે જ તેમનો આ ફેજ થયો છે; બાકી તો તેમણે એકલાએ આ માયાવી દાનવોને તેમના સાચે સ્થળે પહોંચાડી દીધા હોત. તેમને માર પણ જાદુઈ મારવામાં આવ્યો છે, માટે જાદુગરણ ઉર્નાન્ડાને જલદી બોલાવો, જે આવીને મારા આ અદૃશ્ય ઘા રુઝવી નાંખે.” ઘરકામવાળી બાઈને તેમ જ બીજા સૌને પેલી ભૂંડી ચોપડીઓની ઠાકોર ઉપર થયેલી અસરની ખાતરી થઈ, અને તેઓએ તેમને પથારીમાં સુવાડી, તેમના ઘા શોધવા માંડ્યા; પણ એક ઠેકાણે તરવારનો કે બીજો કશો ઘા માલૂમ ન પડયો. ડૉન વિક્સોટે પણ તે સૌને ભારપૂર્વક કહ્યા કર્યું કે, “દસ દસ માયાવી દાનવો સામે ઘમસાણ મચવાનું થયું હતું, પણ રોઝિનેન્ટીએ ઠોકર ખાધી, અને ઇત્યાદિ, ઇત્યાદિ.”
SR No.006006
Book TitleDon Quicksot
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1966
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy