________________
ડૉન કિવકસોટ!
ચાલુ રાખ્યા. પેલાએ હવે તેમના મોંનું ઢાંકણ ઊંચું કરીને જોયું અને તેમને ઓળખ્યા. “ઓહો, મેંશ્યોર કિવઝાડા, તમે છો? આ વેશ શાનો છે? અને અહીં પડયા પડયા શું કરો છો?”
પણ ડૉન કિવકસોટે જવાબમાં વધુ દુહાઓ જ લલકાર્યા, એટલે પેલાએ મહેનત લઈ, ડૉન કિવકસોટના શરીર ઉપરનું ટિપાઈ ગયેલું પતરું છોડી નાંખ્યું, અને તે કંઈ ઘાયલ-બાયલ થયા છે કે શું, એ તપાસવા માંડ્યું. પણ કયાંય લોહી નીકળેલ ન જણાયું, એટલે તેણે તેમને બેઠા કરવાનો પ્રયત્ન આદર્યો. ત્યાર પછી તેણે તેમને પોતાના ગધેડા ઉપર ખેંચીને નાંખ્યા; કારણ કે ઘોડા ઉપર ઊંચે એકલાથી તેમને ચડાવાય તેમ નહતું. પછી બખ્તર તથા હથિયાર વગેરે બધું સમેટીને રોઝિનેન્ટી ઉપર બાંધી લઈ, બંને જાનવરોને દોરતો તે ગામ તરફ લઈ ચાલ્યો.
સૂર્યાસ્ત સમયે તેઓ ગામ પાસે પહોંચ્યા. પણ પેલા ખેડૂતે આ હાલતમાં સૌના દેખતાં ઠાકોરશીને ગામ વચ્ચે થઈને લેવા ઠીક ન માની, અંધારું થવા દીધું અને પછી તે તેમને ઘેર લઈ ગયો.
ઠાકોરને ઘેર તો ધમાલ મચી ગઈ હતી. ઠાકોર કોઈને કહ્યા વિના અલોપ થઈ ગયા હતા. એટલે ચોમેર તેમની શોધાશોધ ચાલતી હતી. ગામના પાદરી ડૉ. પેરીઝ, અને ગામનો હજામ નિકોલસ બંને ઠાકોરના મિત્રો હતા. તેઓ પણ તે વખતે ત્યાં આવેલા હતા. ઘરકામ કરનારી બાઈ કહેતી હતી –“ઘરમાંથી ઠાકોરસાહેબ, તેમનો ઘોડો, ઢાલ, ભાલો અને બખ્તર સાથે છ છ દિવસથી અલોપ થયા છે. શું થયું હશે, ભગવાન જાણે! પણ છેવટના તે નાઈટ' બની જગતમાં વિજ્ય-યાત્રાએ નીકળવાની ઘણી ઘણી વાતો કરતા હતા. નખ્ખોદ જાય પેલી ચોપડીઓનું!. આખો દિવસ અને રાત એ ચોપડીઓ વાંચી વાંચીને જ તેમનામાં એ ધૂન ભરાઈ હતી. દુનિયામાં એવી નકામી ચોપડીઓ રહેવા જ ન દેવી જોઈએ!” | ઠાકોરની ભત્રીજી હવે હજામને કહેવા લાગી, “નિકોલસબાબા, તમે તો જાણો છો કે, તમને ઠાકોરકાકા એ બધી ચોપડીઓમાંથી કેટલાં બધાં પાનાં વારંવાર વાંચી સંભળાવતા હતા! કેટલીક વાર તો લગભગ બબ્બે દિવસ! તથા કેટલી બધી વખત વાંચતાં વાંચતાં વચ્ચે ઊઠી, તરવાર