________________
૧૬
ડૉન કિવકસોટ! કામ ત્યાં ને ત્યાં જ પૂરું થઈ ગયું હોત. પણ ડૉન કિવોટે ઉતાવળ કરી પોતાના બખ્તરને ફરી પાછું મૂળ સ્થાને ગોઠવી દીધું, અને જાણે કશું બન્યું ન હોય, તેમ પહેરો ભરવા માંડયો.
થોડી વાર પછી બીજો વણજારો પોતાનાં ખચ્ચરોને પાણી પાવા ત્યાં આવ્યો. પહેલો ગાડાવાળો હજુ બેભાન અવસ્થામાં હવાડા પાસે જ પડેલો હતો. આ બીજો પણ હવાડા પાસેથી બખ્તર વગેરે બધું ફેંકવા જતો હતો, તેવામાં ડૉન કિવકસોટે એક શબ્દ પણ બોલ્યા વિના, કે કોઈની મદદ માટે ધા નાંખ્યા વિના-કારણ કે આ તો તેમના જાગરણ-વિધિને ફોક કરવાનું માયાવી રાક્ષસોનું જ કાવતરું હતું એમ તેમને સમજાઈ ગયું હતું – ઢાલ નીચે નાંખી, પોતાનો ભાલો બે હાથે ઊંચકી, તેના માથા ઉપર એટલા જોરથી માર્યો કે, બે-ચાર જગાએથી તે ફાટી ગયું. પણ પહેલાની પેઠે તરત તે બેભાન બની ન ગયો; એટલે તેણે વેદનાના માર્યા બૂમાબૂમ અને ચીસાચીસ કરી મૂકી. તરત વીશીમાંથી કેટલાય જણ ત્યાં દોડી આવ્યા. વીશીવાળો પણ ભેગો હતો. | ડૉન કિવકસોટે આ બધું મોટું ટોળું જોઈ તરત પોતાની પ્રેમ-રાણીને સંબોધન કર્યું, “હે સૌંદર્ય-મણિ, હવે તારા આ સાહસી વીરના બાહઓમાં તારું બળ પૂરવાનો વખત આવી લાગ્યો છે.” આ સંબોધનથી તેમના અંતરમાં એવી અભુત શક્તિનો સંચાર થયો કે, આખી દુનિયાના બધા વણજારાઓ તેમના ઉપર અત્યારે તૂટી પડયા હોત, તો પણ તેમણે તે સૌને વીરતાથી અને જુસ્સાથી પડકાર્યા હોત.
પેલા વણજારાઓએ પોતાના બે સાથીદારોની થયેલી વલે જોઈ, જરા દૂર રહી, ડૉન કિવકસોટ ઉપર જોરથી પથ્થરનો મારો ચલાવ્યો. પરિણામે તેમને પોતાની ઢાલ પાછળ બને તેટલાં છુપાવાની જરૂર પડી. પોતાનાં શસ્ત્રોવાળા હવાડાથી તો તે દૂર જઈ શકે તેમ ન હતું કારણ કે, તેમ કરે તો શસ્ત્ર-જાગરણવિધિ દરમ્યાન જ શસ્ત્રો સૂનાં મૂકવાનો દોષ લાગતાં તેમનો જાગરણ-વિધિ ફોક થઈ જાય.
વીશીવાળો હવે બૂમો પાડી વણજારાઓને રોકવા લાગ્યો: “ભલાદમીઓ એ ગાંડાની પંચાતમાં ન પડશો – તેનું ચસકી ગયું છે, અને તે તમારું ખૂન કરશે તો પણ કાયદો તેને જતો કરશે.”