________________
३४
“જ્ઞાનવૃતં જ્ઞાનં તેના મુલ્યક્તિ ગંતવ !” તેથી મનુષ્યો જગતમાં
નવાર: મધન: મોષજ્ઞાન: વિજેતા:” બનીને, છતાં તે દશામાં કેવા રસપૂર્વક રચ્યાપચ્યા રહે છે! તેમનું મોઘત્વ તો તટસ્થ જોનાર જ્ઞાનીને દેખાય છે. અને એમ જ આપણને ડૉન વિશે લાગે છે, ને તે જોઈ અનુકંપાભર્યું હસવું આવે છે.
અને એમ જ, આપણી માનવચર્યામાં રહેલા આ માયાભ્રમના સાક્ષાત્ વ્યવહારને જોતો માયાપતિ દેવ જો અને જ્યાં હોય, તો ત્યાંથી તે આ જગતની આપણી વિવિધ ચર્યાઓને માટે કરુણામય હાસ્ય નહીં કરતો હોય? કદાચ તેથી જ તે માયાપતિ સદાનંદ માણતો શેષ ઉપર નિરાંતે નિદ્રાસમાધિ લગાવી શકતો હશે – જગતનો ખેલ જોઈ પડયો પડ્યો હસ્યા જ કરતો હશે! કહેવાની મતલબ કે, હિંદમાં આપણે જો આ સ્પેનની ડૉન-કથા પરથી કલ્પના કરીને વેદાન્ત પર વળીને જગતકથા પર જો જઈએ, તો આ જગતની કથામાં પણ આવા કણ ભ્રમભૂલક હાસ્યનો અખૂટ ઝરો માણવા ન મળે? પરંતુ એ તો તટસ્થભાવે જોતા દેવને જ સંભવે, કે જેવું ડૉનથામાં વાચકદેવ તરીકે આપણને સંભવે છે.
૧૩
પણ ના, એ જ કથામાં અન્ય પાત્રો પણ ડૉનની ભ્રાંતિ જાણે છે, જુએ છે, અને તેની સાથે સંગ-સંસર્ગમાં આવે છે. પરંતુ તે તટસ્થ નથી: તેઓને માટે ડૉનનો ભ્રાત-ક્રમ વાસ્તવિક વ્યવહાર-ક્રમ છે. એટલે તેઓ વાચક પેઠે કરુણ હાસ્ય તો ન જ માણી શકે. જોકે, બે મિત્રો દયાભાવથી ડૉનના આ મનોરોગની દવા કરવા લાગે છે, અને કેટલાંય સ્ત્રીપુરુષો નર્યો ઉપહાસ એને ભોગે માણે છે. એમાંય, ડૉન સાથે જીવનમરણથી જડાયેલો તેનો પરમૈક સાથી-સેવક સાંકો પાન્ઝા! વ્યવહાર-સમજમાં ડૉન જેટલો ભાત, તેટલો જ અભ્રાન્ત આ સાન્કો છે, અને છતાં (કરણ અને હાસ્ય પેઠે, વિનોદ અને મૌખ્ય પેઠે) એ બેની અતૂટતા પણ કેવી ઊંડી અનુભૂતિ છે! યુધિષ્ઠિરના કૂતરા પેઠે પરમ વફાદારમણિ