________________
માનવાનું કાંઈ કાંઈ કરી શકે, – એવું ભ્રાન્તદર્શન ખરેખર બને? એવું માની શકાય? સર્વાન્ટિસની કલા વિષે આવો વાસ્તવવાદી સવાલ ઊઠે. અને તો પછી એની કૃતિ વિષે આંવી એક અસત્યની છાપ જાગીને, આખું કલાસર્જન અસમંજસ કે અશ્રદ્ધેય બની કલાભંગ થવા ભય રહે. આ કથાનું એવું નથી થતું એ તો, વાચક તે વાંચશે તે પરથી, હકીકતે જ પોતે જાતે ખાતરી કરી શકશે.
પરંતુ, એમ થાય છે ખરું કે, ડૉન જેવા ઉચ્ચ પરાક્રમી પુરુષને તે આ ભ્રમભૂત કયાંથી વળગ્યું! અને તે વળગાડનું વર્ણન વાંચતાં સમવેદી કરુણા નીપજતાં છતાં, એ ભ્રમની ભવાઈ ને ભવાડો થતો જ રહે છે તે જોઈ હસવું પણ ખાળી શકાતું નથી: ડૉન પ્રત્યે કોઈ અનાદર કે તુચ્છભાવ વિના એમ બને છે, કે જે વસ્તુ રસમીમાંસામાં નોંધપાત્ર છે. તે તે પ્રસંગોપાત્ત સંબંધી અન્ય કેટલાંક પાત્રો હશે, પરંતુ ડૉનાનુચાર સાન્કો? દરેક પાત્ર અને વાચક પોતપોતાની રીતે વિનોદ માણે છે; અને તે બધો વખત મહાનુભાવ ડૉન તો નિલેંડવત્ પોતાની પ્રેમવીર પૂનમાં મસ્ત છે! વાર્તાને અંતે, “ઘર તરફ” જતાં તેમને જ્ઞાનોદય થાય છે કે, “પેલી નકામી ચોપડીઓ વાંચી વાંચીને કોણ જાણે મારા મગજમાં કેવીક ધૂન ભરાઈ બેઠી હતી!” જીવનને ઘડવામાં સાહિત્યકલા કેવી જબરી તાકાત છે! ડૉન-કથા તેનો અનુપમ નમૂનો છે. અને તેને ખંખેરીને તે સ્વસ્થ થાય છે.
૧૨.
ફૉઈડ, જંગ આદિ આધુનિક કામ-અને સ્વપ્ન- માનસવિદો આવા ભ્રમજીવન વિશે શું કહે તે ખબર નથી. વેદાન્તનું માનસશાસ્ત્ર તો કહે જ છે કે, માનવ જીવાત્મા સર્પ-
રજાવત્ માયા-ભ્રમમાં અટવાયા જ કરે છે. સુરદાસ ગાય છે એમ, “યહ માયા ભ્રમજાલ કહાવત, સુરદાસ, સઘરો.” રજજુ વિષે સર્પભાવ થાય તો આપણી સમગ્ર ચર્યા તે ભાવથી તરબોળ નથી થતી? એમ જ પવનચક્કીમાં રાક્ષસભાવ કેમ ન દેખાય? જ્ઞાનશક્તિ પેઠે જ ભ્રમજ્ઞાનશક્તિનેય થાહ નથી, એમ વેદાન્ત કહે છે –