SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ३२ પ્રત્યે સભાવ, સમભાવ કે કશી સહાનુભૂતિ હોય એમ લાગે છે ખરું? બલ્ક, તેના પ્રત્યે ધૃણાત્મક તુચ્છતાની નજરે નિહાળનારનું અભિમાની નિરૂપણ કે સર્જન એ છે, એમ દેખાઈ આવે છે. કલાકૃતિ તરીકે તે આવા ક્ષુબ્ધ અ-પ્રશાંત ભાવની નિષ્પત્તિ જેવું દેખાય છે. અને તેના લેખકની જીવનદૃષ્ટિ પણ અંગ્રેજ્યુગીન નવમતવાદને અનુરૂપ હતી, કે જે વસ્તુ ભારતની પ્રજાની કશી આદર્શતાને નહોતી સ્પર્શતી. આથી કરીને, અંગ્રેજ પરરાજ્યનાં આગંતુક વળેલાં પડ નીચે કાંઈક ભારતીય પરમદર્શન જોતી આંખ ત્યાં જણાતી નથી, – કે જેવી દાદાભાઈ, તિળક, કે ગાંધી જેવા પુરુષોમાં હતી. પરિણામે, “ભદ્ર ભદ્ર'-ભટનું જેવું ભોપાળું થયું તેવું ડૉન'નું નથી થતું. ઉપર ઉપરથી જોઈએ તો ભદ્ર ભદ્ર અને ડૉન આખા કથા-પ્રવાહમાં બન્યા જ કરે છે, પરંતુ એમાં ફેર છે. જેમ કે, ડૉન પ્રત્યે સતત કરુણાના સમભાવવાળું સંવેદન થાય છે; પરંતુ “ભદ્રંભદ્રશંકર અંગે? આમ, ડૉન ભદ્રંભદ્ર નથી. ડૉન દાતદર્શી છે; તે યુરોપીય મધ્યયુગમાંથી સોંસરી નજર કરીને ચાલે છે. એના ઉન્નત નાદમાં પડે છે. આ બે કલોપાજત મહાજનો વચ્ચે એક સમાનધર્મ છે ખરો– તેઓ બંને ભાતદર્શી છે. અને “જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ'-ન્યાયે ચાલે છે. પણ પોતાને જે લાગે તેને સત્ય માનીને ગાંધીજીના સત્યાગ્રહ-ન્યાયે જે કૂદી પડે છે, તેમાં જાનનો જ નહીં અકલ-આબરૂનો પણ સોદો થઈ જાય તોય પરવા નહિ! – બસ પોતાના ભ્રાત સત્યને માટે ઝૂઝે જ છે! જીવનમાં શુદ્ર લોભલાલચથી ને અલ્પ આબરૂની દરકારથી પામર પળશીમાં ન પડવું અને, બસ, સત્ય લાગે કે તેના માટે (આમ ગાંધીજી પ્રણીત સત્યાગ્રહી અદા ધરીને) ઝૂઝવું, એ શું મહાન કે મહત્તાદાયી નથી? ડૉન-કથા આવી મહત્તા જીરવી શકે છે, એ એના અમર કલાગુણને આભારી છે. ૧૨ પરંતુ એક સવાલ અહીં એ અંગે થાય ખરો: એક સન્નિષ્ઠ સમજણો અને અમીર માણસ પવનચક્કીને રાક્ષસ માને, ને શું નું શું
SR No.006006
Book TitleDon Quicksot
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1966
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy