________________
२९
પરધર્મી – ગેરખ્રિસ્તી – મુસ્લિમ મૂર લોકોના વશમાં પડયો હતો. એમ ત્યાં, –હિંદમાં અંગ્રેજ રાજ્ય જેમ, – પરવશતા વ્યાપી હતી : પ્રજા-હ્રદયમાં આથી પણ અમુક સંસ્કાર-શંકરની સ્થિતિ હતી. સ્વાભાવિક રીતે, આ પરવશ સ્થિતિમાં સ્પેનનાં કેટલાંય ભકતહૃદયો સમસમતાં હશે; – કે જેમ પુણ્યશ્લોક દાદાભાઈ અને લોકમાન્ય જેવાનું હતું. સર્વાન્ટિસનું ડૉનકથા-દર્શન આ રીતેય સમજવા જેવું અને સ્પેનને માટે પુનરુદ્ધારક હતું. એક વિવેચકે આ વિષે અછડતો ઉલ્લેખ એ રીતે કર્યો છે કે, “ડૉનકથાનો કલા-ચમત્કાર સમજવા માટે તેના લેખકનાં જીવન તરફ કાંઈક નજર કર્યા વિના ન ચાલે. આ પુસ્તક એવું છે કે, તેના લેખકના જીવનથી જુદું ન પાડવું જોઈએ; કારણ કે, ડૉનના ચારિત્રમાં જે માનવ ઉમદાપણું છે, તે જ એના સર્જકમાં હતું. દુ:ખની વાત એ છે કે, આ કથાનું ગુણગાન કરવા શાહીના ધોધ વહ્યા છે, છતાં તે ઓછા કે વત્તા અંશે વ્યર્થ છે તે એ રીતે કે, આ સમર્થ નવલોત્તમના લેખકની ખરેખર સંતોષપ્રદ જીવનકથા લખવા કોઈએ તસ્દી લીધી નથી. જોકે,
""
એ અંગે જાણવા જેવું બહુ ઓછું આજે મળે છે. જે કાંઈ મળે છે તે પરથી આ લઘુક્થાના સંપાદકે આપ્યું છે, એ વાચકના આભારપાત્ર સારું થયું છે.
૧૦
સર્વાન્ટિસ પોતાની કથાની પ્રસ્તાવનામાં આ અંગે, લેખનસૃષ્ટિના સર્જન-વ્યાપાર વિષે એક નાનકડી મૂળ સત્યતા નોંધે છે; આ સંદર્ભમાં તે આ જ કલા-તત્ત્વ તરફ આંગળી ચીંધે છે. પોતાની પ્રસ્તાવનામાં શરૂમાં જ તે લખે છે
“ પ્રિય વાચક, વિશેષ સાબિતી કે પુરાવો માગ મા; મારા વચન પર ભરોંસો રાખ કે, આ મારો માનસ-પુત્ર તારી ઇચ્છા મુજબ — યથેચ્છ બુદ્ધિમાન, આનંદમય, અને બહુશ્રુત બને એમ ઇચ્છું. પણ કુદરત એની ઉપર પોતાનો કરામતી જાદુ કર્યા વિના કેમ છોડે! દરજ્જાકૃતિ તેના સર્ગનું પ્રતિનિવત્વ પામે ન પામે; અને મારો ઉપલો માળ ખાલી