________________
તંદ્વયુદ્ધમાં વિજ્ય!
૨૫૧ માર્શલ એકદમ પાસે દોડી ગયા; ટૉસિલસે માર્શલને પૂછયું, “આ કંકયુદ્ધ હું પેલી સુંદર યુવતીને પરણું કે ન પરાણું એ મુદ્દાસર જ લડવાનું છે ને?
માર્શલે ‘હા’ કહી.
એટલે ટૉસિલૉસે કહ્યું, “તો મારો અંતરાત્મા હવે એ સુંદરીને મેં દીધેલા દગાથી એટલો બધો ડંખવા લાગ્યો છે કે, મારાથી આ યુદ્ધ લડી શકાય તેમ જ નથી. તેથી હું મારી જાતને હારેલી જાહેર કરું છું અને હું એ સુંદરીને આ ક્ષણે જ પરણવા તૈયાર છું.”
હવે માર્શલ તો ધ્વંદ્વયુદ્ધનું આ આખું ઠઠ્ઠા-કાવતરું રચવામાં ભૂકનો સાગરીત હતો. પેલા જાગીરદારના છોકરાને બદલે વેશપલટો કરાવી ટૉસિલૉસને તેણે જ તૈયાર કર્યો હતો. એટલે એ તો એવો છોભીલો પડી ગયો કે, શો જવાબ આપવો એ જ તેને સમજાયું નહિ. એ દરમ્યાન ડૉન કિવકસોટ ધસમસતા છેક રણમેદાનની વચ્ચોવચ્ચે આવી ગયા હતા. પણ પોતાના પ્રતિસ્પર્ધીને જરાય ખસતો ન જોઈ, તે આશ્ચર્યમાં પડી ગયા. ડયૂક પણ ઊંચાનીચા થવા લાગ્યા, અને સૌ પ્રેક્ષકો પણ.
માર્શલ ડયૂક પાસે જઈને ટૉસિલૉસે કરેલી વાત કહી, એટલે ડયૂક એકદમ ગુસ્સે થઈ ગયા. પરંતુ ટૉસિલૉસે ડૉના રૉડીગીઝ પાસે જઈને સાદર વિનંતી કરી, “મૅડમ, હું તમારી આ સુપુત્રીને પરણવા તૈયાર તૈયાર છું; એટલે ફરિયાદ-તકરાર-કે-ઝઘડો કરવાની, કે લંબાવવાની કશી જ જરૂર નથી.”
ડૉન કિવસોટ એ સાંભળી તરત જ બોલી ઊઠયા, “તો તો પછી હું પણ આ કેંદ્વયુદ્ધની પ્રતિજ્ઞામાંથી આપોઆપ મુક્ત થયો. હવે તો એ બે જણનું લગ્ન કરાવવું- તત્કાળ કરાવવું, એ જ મારો ધર્મ થઈ રહે છે.”
યૂકે હવે ટૉસિલૉસ પાસે આવી તેને પૂછયું, “કેમ નાઈટ, એ વાત સાચી છે કે, તમે તમારા અંતરાત્માના અવાજને માન આપી, આ કેંદ્વયુદ્ધમાંથી નીકળી જવા માગો છો?”
“હા, જી,” ટૉસિલૉસે જવાબ આપ્યો.