________________
૨૩૭
સાન્કોનું ગવર્નર-રાજ! બારીએથી નવી બિલાડીઓ અંદર આવતી બંધ થઈ, એટલે ડૉન કિવકસોટ હવે કમરામાં ઘૂસેલી બિલાડીઓ ઉપર તૂટી પડયા. પરંતુ, બિલાડીને આંતરીને પછી તેના ઉપર તૂટી પડવું, એના જેવી જોખમકારક ચીજ બીજી કોઈ નથી. કારણ કે, બિલાડીને બહાર જવાનો રસ્તો ન રહે, ત્યારે તે મરણિયા જેવી થઈ જઈને સીધી તમારે મોંએ કે ગળે જ વળગે છે. એની એ મરણ-ચૂડ એવી કારમી હોય છે કે, તેમાંથી ભાગ્યે બચાય. એ વસ્તુ યાદ રાખ્યા વિના, ડૉન કિવકસોટ તો પોતાના ઓરડામાં પેઠેલી બિલાડીઓને પોતાના દુશ્મન માયાવી જાદુગરો સમજી, તેમને ખતમ કરવાના ઇરાદાથી ઉઘાડી તરવારે તેમની પાછળ પડ્યા. બેએક બિલાડીઓ તો, જીવ ઉપર આવી, બારી એ થઈ બહાર કૂદી પડી. પણ છેલ્લી એક બિલાડી અંતરાઈ ગઈ, અને તે હવે જીવ ઉપર આવી જઈને ડૉન કિવકસોટના મોં ઉપર જ લપકી. તેના પંજામાં અને બચકામાં ડૉન કિવકસોટનું નાક આવી ગયું. ડૉન કિવકસોટ ભયંકર ચીસ પાડી ઊઠ્યા. ડયૂક અને ડચેસ નાઈટની એ કારમી ચીસ સાંભળી તરત તેમના કમરા તરફ દોડી ગયાં. આખા મહેલનાં બધાં બારણાંની એક આલા-ચાવી તેમની પાસે હતી જ. તે વડે ડૉન કિવકસોટનું બારણું ઉઘાડી તેઓ અંદર પેઠાં. યૂકે નાઈટની કરુણ પરિસ્થિતિ જોઈ, બિલાડીને જોરથી પકડી અને બીજાઓએ તેના પંજા વગેરે ડૉન કિવકસોટની ચામડીમાંથી છોડાવ્યા. છૂટી થયેલી તે બિલાડીને તરત જ ડયૂકે જોરથી બારી બહાર ફગાવી દીધી.
ડૉન કિવકસોટના મોં ઉપર ઊંડા ઉઝરડા પડયા હતા અને તેમની માઠી વલે થઈ હતી. તરત જ મલમપટ્ટા મંગાવવામાં આવ્યા અને આલ્ટિસિડોરાએ પોતે પોતાના ગોરા ગોરા હાથે નાઈટને એ મલમપટ્ટા લગાવ્યા. પછી એ મલમપટ્ટા લગાવવાને બહાને તેમના કાન પાસે માં લઈ જઈ, તેણે તેમના કાનમાં સંભળાવી દીધું, “બીજાઓનાં પ્રેમભર્યા હૃદય તોડનારની આ જ વલે થાય!”
ડૉન કિવકસોટને પાંચ દિવસ પથારીવશ રહેવું પડયું. ડયૂક અને ડચેસને પણ પોતાની મશ્કરીનું આવું પરિણામ આવેલું જોઈ મનમાં ખેદ થયો. અને તેઓ હવે તેમની સારવારમાં દિલ દઈને લાગી ગયાં.