SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ સાન્કોનું ગવર્નર રાજ! ૨૩૯ કારણ કે, તમારા શાસ્ત્ર પ્રમાણે તો માણસોએ ભૂખે ટળવળતા મરી જવું, એ જ સારી રીતે જીવવાનો ધોરી માર્ગ હોય એમ લાગે છે!” પેલો વૈદ્ય જરા વધારે પડતી રમત રમાઈ ગઈ એમ માની ડરી ગયો; પણ એટલામાં ડયૂકે યોજના પ્રમાણે મોકલેલો એક કાસદ દોડતો દોડતો ભોજનખંડમાં ધસી આવ્યો. ડયૂકે તે પત્રમાં તાકીદની સૂચના મોકલી હતી કે, “મારા જાસૂસો તરફથી મને જાણવા મળ્યું છે કે, આપણા દુમનોએ ટાપુ ઉપર ભારે તૈયારીઓ સાથે ચડાઈ કરવા વિચાર્યું છે. તેથી તમે એ બાબત પૂરતા સાવચેત રહેજો. મને એવા પણ ખબર મળ્યા છે કે, ત્રણ કે ચાર જણ તમારું ખૂન કરવા માટે છૂપે વેશે કિલ્લામાં દાખલ પણ થઈ ગયા છે. તમારે જોઈતી કુમક હું મોકલાવતો રહીશ, એ બાબત બેફિકર રહેજો, પરંતુ તમારે પોતે અજાણ્યાઓ સાથે મળવા-ભળવા બાબતમાં બહુ સાવચેત રહેવું. દરબારગઢ, તમારો મિત્ર સવારના ચાર વાગ્યે. ડયૂક” સાન્કોએ કારભારી પાસે આ પત્ર વંચાવ્યો હતો. તેણે વાંચવાનું પૂરું કર્યું એટલે તરત સાન્કોએ કારભારીને હુકમ કર્યો કે, “પેલો વૈદ્ય જ દુમનો સાથે ભળી ગયેલો લાગે છે; કારણ કે, આજે તે મને ભૂખે મારી નાંખવાની પેરવી કરીને જ આવ્યો હતો; માટે તેને ઝટ કેદમાં પૂરી દો.” પણ પેલા કારભારીએ સાન્કોને જણાવ્યું કે, “નામદાર, આજનો બધો ખોરાક આપને માટે મઠવાળાઓએ ખાસ મોકલાવ્યો છે. પણ એ મઠવાળાઓ દુશ્મનો સાથે ભળી ગયેલા પણ હોય; માટે ડયૂક સાહેબની સુચના પછી મારો એવો અભિપ્રાય છે કે, બહારથી આવેલો આ બધો ખોરાક આપે જરાય ન ખાવો; પણ અહીં નોકર-ચાકર માટે તૈયાર થયેલો સાદો ખોરાક જ અત્યારે ખાઈ લેવો; સાંજથી તો પછી આપણે રસોડે જ કાળજીપૂર્વક તૈયાર થતો ખોરાક આપ મરજીમાં આવે તેમ ખાજો.” સાન્કોને તે વાત નાછૂટકે કબૂલ કરવી પડી.
SR No.006006
Book TitleDon Quicksot
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1966
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy