________________
૨૩૮
ડૉન કિવકસોટ!
પેલી તરફ સાન્કોને ન્યાયાલયનું કામ પરવાર્યા પછી, તેને માટેના સુંદર મહેલમાં લઈ જવામાં આવ્યો. ત્યાંના વિશાળ ભોજન-ખંડમાં દબદબાભરી રીતે ભોજનની તૈયારીઓ થઈ ગઈ હતી અને વિવિધ વાનીઓની મીઠી સોડમ નાક ભરી કાઢતી હતી.
સાન્કો પાન્ઝા રાજી થતો થતો ભોજન કરવા માટે બેસી ગયો. કારણ કે, એક જ જણ ભોજન કરવા બેસે તેવી ગોઠવણ ત્યાં કરવામાં આવી હતી.
ભોજન આવ્યું પણ સાથે સાથે એક વિચિત્ર દેખાવનો, હાથમાં વહેલના હાડકાનો દંડ ધારણ કરેલો, ગંભીર ઍવાળો માણસ પાસે આવીને ઊભો રહ્યો.
સાન્કોએ પૂછયું, એ કોણ છે? કારભારીએ જવાબ આપ્યો, “એ આપના રાજવૈદ્ય છે; ગવર્નર સાહેબ જમવા બેસે ત્યારે રિવાજ મુજબ તે હાજર રહે છે અને આજે કઈ વાની ગવર્નરને અનુકૂળ આવે તેવી નથી, તેનો ચુકાદો આપી, તે તે વસ્તુ ટેબલ ઉપરથી લઈ લેવરાવે
સાન્કોને નવાઈ તો લાગી; પણ એકદમ કશી બાબતનો વિરોધ કરવો યોગ્ય ન કહેવાય, એમ માની, તેણે વૈદ્યની કામગીરી ચકાસી જોવાનો વિચાર કર્યો.
અને થયું પણ તેમ જ. વૈદ્ય ટેબલ ઉપર આવતી સારી સારી ચીજો, ‘આજે વાદળ છે’, ‘આજે પવન છે’, ‘આજે ટાઢ છે’, ‘આજે અમુક તિથિ-વાર છે', એમ વૈદક અને જ્યોતિષનાં બહાના હેઠળ, પાછી લેવરાવવા માંડી. સાન્કો બધી સારી સારી ચીજો માત્ર દેખાડવા પૂરતી લવાતી જોઈને, તથા પોતાને માટે નિષિદ્ધ કરતી જોઈને, અકળાયો. પણ પછી કશુંય ખાવાનું મળે છે કે નહિ, તે જોવા માટે થોભો. છેવટે તે બોલી ઊઠ્યો, “વૈદ્યરાજ, મારું આયુષ્ય વધે અને મારી તંદુરસ્તી સચવાય, એ માટે તમારે મને ભૂખે જ મારી નાંખવાનો રસ્તો લેવો છે કે શું? માટે અબઘડી મારા ઓરડામાંથી ચાલ્યા જાઓ, નહિ તો તમારું તો શું પણ આ ટાપુમાં જેટલા વૈદ્યો છે, તે બધાનું માથું હું ફોડાવી નંખાવીશ.