________________
૨૩૨.
ડૉન કિવકસોટ! અને હું માગું ત્યારે પાછી આપવાની શરતે, વગર વ્યાજે મેં તેને એ આપી હતી. પછી જ્યારે ઘણી વખત થયા છતાં, તેણે એ રકમ પાછી વાળવાની કંઈ દાનત બતાવી નહિ, ત્યારે મેં તેની પાસે મોંએ ચઢીને તે રકમ પાછી માગી. પણ તેણે તો એ રકમ પાછી આપવાની ના પાડી, એટલું જ નહિ પણ, હું તેની પાસે કશું માગું છું એ વાત જ ખોટી છે, એમ જણાવ્યું. તે કહે છે કે, મેં કદી એ રકમ તેને ધીરી હશે, તો પણ તે કયારની તેણે મને પાછી વાળી દીધી છે. હવે મેં તે રકમ તેને ધીર્યાનો જેમ કોઈ સાક્ષી મારી પાસે નથી, તેમ તે રકમ મને પાછી વાળ્યાનો તેની પાસે પણ કોઈ સાક્ષી નથી. એટલે હવે એક જ રસ્તો બાકી રહે છે, અને તે એ કે, જો તે સોગંદપૂર્વક આપની રામક્ષ એમ કહે કે, તેણે મને એ રકમ પાછી આપી દીધી છે, તો હું ભગવાનને માથે રાખીને કહું છું કે, ફરી કદી તેની પાસે મારી રકમ હું માગીશ નહિ.”
સાન્કોએ પેલા દંડાવાળાને પૂછ્યું, “તારે આ બાબતમાં શું કહેવું છે?”
દંડાવાળાએ કહ્યું, “મેં તેની પાસે રકમ ઊછીની લીધી હતી, એ વાત હું કબૂલ રાખું છું, નામદાર. પણ મેં તે રકમ તેને પાછી વાળી દીધી છે, એમ હું સોગંદપૂર્વક કહું એવું તે ઇરછે છે, તો આપ નામદારનો ન્યાયદંડ નીચો નમાવો એટલે હું તેને સ્પર્શીને સોગંદ ખાઉં.”
સાન્કોએ પોતાનો ન્યાયડ તે પ્રમાણે નીચી નમાવ્યો, એટલે પેલા દંડાવાળાએ પોતાનો દંડો લેણદારના હાથમાં પકડવા માટે આપ્યો, અને પોતે ન્યાયદંડને સ્પર્શી સોગંદ ખાવા આગળ આવ્યો. તેણે હવે સોગંદપૂર્વક જણાવ્યું કે, પેલાએ આપેલા પૈસા તેણે પાછા તેના હાથમાં આપી દીધા છે.
સાન્કોએ પેલા લેણદારને પૂછયું, “કેમ ભાઈ, હવે તારે શું કહેવું છે?”
લેણદારે જવાબ આપ્યો, “આ માણસ મારા જેવો જ અથવા મારા કરતાં વધુ ધર્મભાવી છે; તેણે હવે સોગંદ ખાઈ બતાવ્યા છે, એટલે હું તેની વાત કબૂલ રાખું છું; કદાચ તેણે મને મારી રકમ પાછી આપી દીધી હશે પણ હું ભૂલી ગયો હોઈશ, એમ જ માનવું રહ્યું.”